ઘરેલુ ઉપાયોથી પણ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. જાણો ઘરેલુ ઉપાયોની ટિપ્સ વિશે
ડાયાબિટીસના દર્દીઓએ આ રીતે ખાવું પપૈયુ
પપૈયાના બીજમાં આ વસ્તુ મિક્ષ કરીને ખાવાથી મળશે રાહત
જાણો ડાયાબિટીસના ઘરગથ્થુ ઉપાયો વિશે
ઘણા એવા ઘરગથ્થુ ઉપચારો છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. અમે આજે તમને પપૈયા દ્વારા કંટ્રોલ કરવાની ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જાણો આ વસ્તુ વિશે જે તમે પપૈયાના બીજ સાથે ખાઈને કંટ્રોલ કરી શકો છો.
ખાટા ફળો મિક્ષ કરીને ખાઓ
શુગર લેવલનં કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસના દર્દીઓ પપૈયાની સાથે ખાટા ફળોનું સેવન કરે છે. નિષ્ણાંતોના અનુસાર આ બન્નેને મિક્ષ કરીને ખાવાથી શરીરમાં શુગર લેવલ ઠીક રહે છે. આટલું જ નહીં આમ કરવાથી પેટની સમસ્યા પણ દૂર થાય છે. કારણ કે આ બન્નેને સાથે ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછુ થાય છે. તમે ઈચ્છો તો પપૈયા અને ખાટા ફળો જેવા કે સંતરાની સ્મૂદી બનાવીને તેનું સેવન કરી શકો છો.
આ રીતે કરો પપૈયાનું સેવન
કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓને ફળોનું સેવન ન કરવું જોઈએ, પરંતુ એક્સપર્ટ્સ અનુસાર જો પપૈયાને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તેનાથી શુગર લેવલ પર ખરાબ અસર નથી પડતી. તમે ઈચ્છે તો પપૈયાનો જ્યુસ બનાવીને તેનું સેવન કરી શકો છો. પયૈપામાં નેચરલ શુગર રહેલી છે માટે જ્યુસ બનાવતી વખતે તેમાં ખાંડનો ઉપયોગ બિલકુલ ન કરો.
ડેલી ડાયેટમાં કરો શામેલ
ડાયાબિટીસના દર્દીઓ પાકા પપૈયાને રોજ યોગ્ય માત્રામાં ખાઈ શકે છે. તે ઈચ્છે તો તેને સલાડમાં પણ ખાઈ શકે છે. એક્સપર્ટ્સ અનુસાર પપૈયાને નાસ્તા અથવા લંકની વચ્ચેના સમય અથવા પછી લંચ અને ડિનરની વચ્ચે ખાવું બેસ્ટ રહેશે. જોકે ડાયાબિટીસના દર્દીઓને આ ડાયેટમાં શામેલ કર્યા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.