શનિ કષ્ટ આપે છે. આ બાબત વિશે તો બધા જાણે છે. શનિ વધારે ધન પણ આપે છે. આ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. કેટલાક ઉપાયોથી શનિની મેહરબાની થઇ શકે છે.
1. જ્યારે કોઈ કુટુંબના ઘણા સભ્યો પર એક સાથે શનિની ધૈયા ચાલતી થઈ ત્યારે તે સમયે કુટુંબને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી શનિનો પ્રભાવ ઓછો કરવા માટે હનુમાનજીની પૂજા અર્ચના કરવી જરૂરી છે.
2. શનિની પૂજા માટે પાદમપુરાણમાં જણાવ્યા પ્રમાણે રાજા દશરથની સ્તુતિની દરરોજ સવારે ઊઠીને પૂજાપાઠ કરવી જોઈએ.પ્રાર્થના કરતી વખતે કાળા તલથી દશાંશ હવન અને આરતી કરવી.
3. શનિ મહારાજની પૂજા પછી રાહુ અને કેતુની પૂજા પણ કરવી જરૂરી છે.
4. શનિદેવની પૂજા પછી તમારાથી થયેલા ગુનાઓ અને જાણ્યા અજાણ્યા જે પણ પાપ થયા છે તે માટે તેમની માફી માંગવી.
5. શનિવારના દિવસે શનિ ભક્તોએ પીપળાના વૃક્ષ ને પાણી આપવું અને પીપળાને દોરો બાંધી સાત વખત પરિભ્રમણ કરવું જોઈએ.
6. શનિશ્વરના ભક્તોઓ સાંજના સમયે શનિ ના મંદિરમાં જઈને દીવો કરીને અડદની ખિચડી બનાવીને શનિ મહારાજને ભોગ આપવો જોઇએ.શનિદેવની પૂજા કર્યો પછી પ્રસાદરૂપે ખિચડી ખાવી જોઇએ.
7. સૂર્યપુત્ર શનિદેવની પ્રસન્નતા માટે શનિવારના દિવસે લોટ આપવો જોઈએ.આ દિવસે કાળા કપડાં પહેરવા જોઇએ.