માતાનો પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત કરવા પર ત્રણ માસના બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
3 મહિનાના બાળકે કોર્ટમાં અરજી કરી
માતા છે સરકારી કર્મચારી
નગર નિગમે માતાને ન આપી રજા
માતાનો પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત કરવા પર ત્રણ માસના બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે બાળકની અરજી પર જવાબ દાખલ નહીં કરવા પર આકરું વલણ અપનાવ્યું છે. તેને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે ઉત્તરી દિલ્હી નગર નિગમ તથા અન્ય પક્ષકારોને વન વિભાગ સમક્ષ 25 હજાર રૂપિયા જમા કરવાની શરત પર જવાબ દાખલ કરવાનો મોકો આપ્યો છે.
બાળકે હાઈકોર્ટમાં અરજી કરી
બાળકે એક વકીલના માધ્યમથી દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેની માતા ઉત્તરી દિલ્હી નગર નિગમની કર્મચારી છે. સાથે જ કહ્યું કે, તેના માતા-પિતાનું ત્રીજૂ સંતાન હોવાના નાતે તે પોતાની માતાનો પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત થઈ ગયું છે, કારણ કે, નગર નિગમે તેને માતૃત્વ અવકાશ આપવાની ના પાડી દીધી હતી, જે તેના મૌલિક અધિકારોનું હનન છે. ત્રીજૂ સંતાન હોવાના કારણે મહિલાને નગર નિગમે મેટરનિટી લીવ આપવાની ના પાડી દીધી છે.
જસ્ટિસ નઝ્મી વઝીરી તથા સ્વર્ણકાંતા શર્માની બેંચે કહ્યું કે, ગત સુનાવણી પર નોટિસ સ્વિકાર કર્યા બાદ નગર નિગમ અને અન્ય પ્રતિવાદીઓએ જવાબ નથી આપ્યો, જ્યારે આ ગંભીર મુદ્દો છે. બેંચે કહ્યું કે, આ કેસમાં તાત્કાલિકતા જરૂર છે, કારણ કે, નાની ઉંમરમાં અરજીકર્તાને પીડા થાય છે, જ્યારે દરરોજ વિતતા દિવસ સાથે પોતાની માતાના પ્રેમ અને દેખરેખથી વંચિત થઈ જાય છે.
પોતાના અધિકારોનો દાવો
અરજીકર્તાએ અરજીમાં માતા-પિતાનો પ્રેમ મેળવવા માટે ભારતના સંવિધાનના અનુચ્છેદ 14 અને 21 અંતર્ગત પોતાના અધિકારોનો દાવો કર્યો છે. બાળકે અરજીમાં માતાને મેટરનિટિ લીવ આપવાની માગ કરી છે.
બીજી બાજૂ એનડીએમસીએ કેન્દ્રીય સિવિલ સેવા, 1972ના નિયમ 43 (1), પર પોતાના નિર્ણયના આધાર પર જણાવ્યું હતું કે, બેથી ઓછા જીવીત બાળકોવાળી માતા મહિલા જે સરકારી કર્મચારી હોય તેને 180 દિવસની મેટરનિટી લીવ આપવામાં આવે છે. આ કેસમાં હાઈકોર્ટે કાયદાકીય મત આપનારા વકીલ શાહરુખ આલમને ન્યાય મિત્ર નિમણૂંક કર્યા છે.