સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે શહેરમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા. તંત્રએ શહેરના પ્રવેશ દ્વારા પર વધાર્યું ટેસ્ટિંગ
એક જ પરિવારના 3 લોકો કોરોના પોઝિટિવ
સમગ્ર કોમ્પ્લેક્ષ ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું
સુરતમાં નવા 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલા સૂર્યા કોમ્પ્લેક્ષમાં એક પરિવારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરિવારના 3 સભ્યો કોરોના સંક્રમિત થતા સમગ્ર કોમ્પ્લેક્ષને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કેસ વધતા શહેરમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને પ્રવેશ દ્વાર પર, બસ અને રેલવે સ્ટેશન પર સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે સુરત શહેરમાં નવા 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે અઠવા ઝોનમાં 8, રાંદેર ઝોનમાં 2 અને વરાછામાં 1 કેસ નોંધાયો છે. હાલ તો મનપાએ કોરોના ટેસ્ટિંગ વધારી દીધું છે તેમજ નાગરિકોનો સોશિયલ ડિસ્ટસિંગ, માક્સ તેમજ કોવિડ ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુરતમાં નવા 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, સુરત મનપા પણ એલર્ટ બન્યું છે તો બીજી તરફ મહાનગર પાલિકાની બેદરાકરી પણ સામે આવી છે શહેરમાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસોના આંકડામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાના દાવાની પોલ ખુલી ગઇ છે. શહેરમાં પ્રવેશતા 4 જેટલા માર્ગો પર મનપા દ્વારા ટેસ્ટિંગ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં તંત્રની બેદરાકારી સામે આવી, ચેકપોસ્ટ પર વાસ્તવિકતા કંઇક અલગ જ સ્થિતિ દેખાઇ હતી. VTVની ટીમ જ્યારે જહાંગીરપુરા પહોંચી ત્યારે ત્યાં કોઇપણ કર્મચારી ટેસ્ટિંગ માટે હાજર ન હતો, એક તરફ મનપા કમિશનર દ્વારા ટેસ્ટિંગ વધારવા આદેશ અપા છે તો બીજી તરફ ત્રની ઢીલી નીતિને કારણે કોરોના કેસમાં વધી રહ્યો છે ત્યારે ટેસ્ટિંગને લઇને તંત્રની બેદરકારી શહેરીજનો માટે મોંઘી પડી શકે છે.