ઉતરપ્રદેશના રાજભવનને ડાયનામાઈટથી ઉડાવવાની ધમકી અપાઈ છે. ઉતરપ્રદેશના લખનઉ ખાતે આવેલા રાજભવનને ઉગ્રવાદી સંગઠન TSPCએ પત્ર લખી ઉડાવી દેવાની ધમકી આપી છે. સાથે જ 10 દિવસમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને રાજભવન ખાલી કરવાની ધમકી પણ આપી છે.
ઉત્તર પ્રદેશના રાજભવનને ઉડાવવાનો મળ્યો પત્ર
ઉગ્રવાદી સંગઠન TSPCએ આપી ધમકી
10 દિવસમાં રાજભવનને ખાલી કરે નહીંતર અમે ઉડાવી દેશું
ઝારખંડના ઉગ્રવાદી સંગઠન TSPC દ્વારા પત્ર લખી ઉતરપ્રદેશના લખનઉ સ્થિત રાજભવન તંત્ર સહિત રાજ્યપાલને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સાથે પત્રમાં લખ્યું છે કે જો રાજ્યપાલ આનંદીબહેન પટેલ 10 દિવસમાં રાજભવન ખાલી નહીં કરે તો અમે ઉડાવી દેશું.
રાજ્યપાલના મુખ્ય સચિલ હેમંત રાવે આ પત્રને ગૃહવિભાગને મોકલી દીધો છે. રાજભવનને ઉડાવવાની ધમકી મળતાં જ ઉતરપ્રદેશ પોલીસ અલર્ટ થઈ છે. અને તાત્કાલિક અસરથી રાજભવનની સુરક્ષા વધારી દેવાઈ છે.