જામનગરના જામકંડોરણા નજીક એક બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. જામકંડોરણાના સાતુદડ ગામ નજીક આવેલો આ બ્રિજ વર્ષો જૂનો હતો. અને તે અચાનક ધરાશાયી થઈ જતાં જામ કંડોરણાથી કાલાવડ સુધીનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. જેના કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. જોકે બ્રિજ ધરાશાયી થવાની આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ જ અહેવાલ મળ્યા નથી.