હરિયાણાના પાણીપતમાં બીજા ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ધાટન કરતા પીએમ મોદીએ વિપક્ષના કાળા વસ્ત્રોના વિરોધ પ્રદર્શન મોટા હુમલા કર્યાં હતા.
પીએમ મોદીએ હરિયાણાના પાણીપતમાં કર્યું બીજા ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ધાટન
5 ઓગસ્ટના કોંગ્રેસના નેતાઓના કાળા કપડાના વિરોધ પર કર્યો કટાક્ષ
કહ્યું- તેઓ ગમે તેટલો કાળો જાદુ કરે પરંતુ જનતા વિશ્વાસ નહીં કરે
વડા પ્રધાન મોદીએ બુધવારે પાણીપતમાં 909 કરોડના ખર્ચે 35 એકરમાં બનેલા બીજી પેઢીના (2જી) ઇથેનોલ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કાળા વસ્ત્રો પહેરીને સરકારનો વિરોધ કરવા બદલ વિપક્ષને આડે હાથ લીધો હતો. પીએમે કહ્યું કે આપણા દેશમાં પણ કેટલાક લોકો એવા છે, જે નકારાત્મકતાના વમળમાં ફસાયેલા છે, નિરાશામાં ડૂબેલા છે. સરકાર સામે જુઠ્ઠાણા પર જુઠાણા ચલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આવા લોકો (કોંગ્રેસ) ગમે તેટલા કાળો જાદૂ કરે પરંતુ લોકો તેમના પર વિશ્વાસ કરવાના નથી. આવી હતાશામાં આ લોકો હવે કાળા જાદુ તરફ વળતા જોવા મળે છે.
Some people are resorting to black magic as they are immersed in despair & negativity. We saw on 5th August that there was an attempt to propagate black magic. These people think that by wearing black clothes, their period of despair will end: PM Modi pic.twitter.com/qLwrhGHfa7
5 ઓગસ્ટે પણ કાળો જાદુ ફેલાવાયો હતો- પીએમ મોદીનો કટાક્ષ
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે આપણે 5 ઓગસ્ટે જોયું કે કેવી રીતે કાળો જાદુ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ વિચારે છે કે કાળા કપડાં પહેરવાથી તેમની નિરાશા અને હતાશાનો સમયગાળો સમાપ્ત થઈ જશે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ કેટલું બહાર કાઢે છે, તેઓ કેટલો કાળો જાદુ કરે છે, લોકોનો વિશ્વાસ ફરી ક્યારેય તેમના પર નહીં બને.
But, these people are unaware that no matter how much ever they do black magic & believe in superstitions, people will never trust them back: PM Modi pic.twitter.com/5LAiGrcdVU
Anyone can come & announce to give free petrol and diesel if their politics is self-centred. Such steps will take away rights from our children & prevent the country from becoming self-reliant. It will increase burden on the taxpayers of the country: PM Modi pic.twitter.com/Gb0ox2sW5q
સ્વાર્થ હોય તો ગમે તે આવીને મફત પેટ્રોલ-ડીઝલની જાહેરાત કરી શકે
ચૂંટણીમાં રેવડી વહેંચવાની સંસ્કૃતિ પર બોલતા મોદીએ કહ્યું કે જો રાજકારણમાં સ્વાર્થ હોય તો કોઇ પણ આવીને ફ્રી પેટ્રોલ-ડીઝલની જાહેરાત કરી શકે છે. આવા પગલાંથી આપણા બાળકો પાસેથી તેમના અધિકારો છીનવાઈ જશે, દેશને આત્મનિર્ભર બનતા અટકાવશે. તેમણે કહ્યું હતું કે, જે લોકો પોતાનાં રાજકીય હિતો માટે આ પ્રકારની જાહેરાતો કરે છે, તેઓ ક્યારેય નવી ટેકનોલોજીમાં રોકાણ નહીં કરે. તે ખેડૂતને ખોટા વચનો આપશે, પરંતુ ખેડૂતોની આવક વધારવા માટે ઇથેનોલ જેવા પ્લાન્ટ ક્યારેય સ્થાપશે નહીં.
5 ઓગસ્ટે રાહુલ-સોનિયા-પ્રિયંકાએ કાળા કપડા પહેરીને કર્યું હતું વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે કોંગ્રેસ નેતા રાહુલ, અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના બીજા કોંગ્રેસના નેતાઓએ બેરોજગારી અને મોંઘવારીની સામે કાળા કપડા પહેરીને દેખાવ કર્યો હતો. પીએમ મોદીએ નામ લીધા વગર કોંગ્રેસના આ નેતાઓ પર કટાક્ષ સાધ્યો હતો.