સ્મોકિંગ આપણા શરીર માટે હાનિકારક હોય છે. આમાં એવા લોકો પણ સામેલ છે જે સિગારેટ નથી પીતા. ટીવી પર કે રેડિયો પર જ નહી સમાચાર પત્રમાં પણ સિગારેટ છોડવા માટેની જાહેરાત કરવામાં આવે છે. તો પણ સિગારેટ પીતા લોકોમાં ઘટાડો નથી થઈ રહ્યો. સરકાર દ્વારા ટેક્સ વધારવા છતા લોકોએ આ લત નથી છોડતા.
ધૂમ્રપાન અને તમાકુની આદત લોકોમાં ઓછી પડે તે માટે જાપાનની એક માર્કેટિંગ કંપની પિઆલ ઈંકે પોતાના કર્મચારીઓને સિગરેટની લત છોડવા માટે પ્રેરિત કર્યા છે. કંપનીએ કર્મચારીઓને સારી અને સ્વસ્થ્ય જિંદગી જીવવાનું કહ્યું છે.
કંપનીએ આની માટે એક પ્રસ્તાવ પણ રાખ્યો છે. જેમાં એવા લોકો સામેલ છે જે સિગારેટ નથી પીતા. જે લોકો સિગારેટ નથી પીતા તેમને વર્ષમાં છ રજા વધારે આપવામાં આવશે. જે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે લઈ શકે છે.
કંપનીના એક કર્મચારીએ સિગારેટ પીતા લોકોની ફરિયાદ કરી હતી જેમાં તેણે વધારે પડતા બ્રેક લેવાનો અને ટાઈમ પાસ કરવાનો હવાલો આપ્યો. સાથે તેણે જણાવ્યું કે કેવી રીતે સિગારેટ પીતા લોકોના કારણે કંપનીની પ્રોડક્ટિવિટી પર અસર પડે છે. કંપની ૨૯મા માળ પર છે અને સ્મોકિંગ ઝોન બેઝમેન્ટમાં છે. કંપનીએ સમયનો હિસાબ લગાવી આ નક્કી કર્યું છે.