સિંધિયા પરિવારે રાજકારણની શરૂઆત કોંગ્રેસ સાથે કરી હતી. દેશ આઝાદ થયો ત્યારબાદ મધ્ય ભારતના તત્કાલીન મહારાજ જીવાજી રાવ સિંધિયાને રાજ પ્રમુખ બનાવવામાં આવ્યા.
નાગરિક ઊડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યું
પરિવારની દીકરી વસુંધરા રાજ વિદેશમંત્રી રહી ચૂક્યા છે
રાજકારણની શરૂઆત કોંગ્રેસ સાથે કરી હતી
નાગરિક ઊડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યું
ભારતના પ્રધાનમંત્રીએ તેમના બીજા કાર્યકાળ દરમિયાન કેબિનેટનું વિસ્તરણ કર્યું. આ બધા જ મંત્રીઓમાં એક નામ વિસ્તરણની અટકળો વચ્ચે ખૂબ જ ચર્ચાઇ રહ્યું હતું. આ નામ છે સિંધિયા રાજ પરિવારમાંથી આવતા અને પરિવારના મુખ્ય વ્યક્તિ જ્યોતિરાદિત્ય સિંધિયા. જેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું અને નાગરિક ઊડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યું. આ પદ સંભાળ્યા બાદ તેઓ રાજ પરિવારના પહેલાં એવા પુરુષ હશે જે સ્વતંત્ર ભારતના કોંગ્રેસ સિવાયના મંત્રી મંડળમાં સામેલ થશે. સાથે જ આ પરિવારની દીકરી વસુંધરા રાજ વિદેશમંત્રી રહી ચૂક્યા છે પણ તે રાજસ્થાના રાજકારણમાં એકદમ સક્રિય હતા.
પરિવારની દીકરી વસુંધરા રાજ વિદેશમંત્રી રહી ચૂક્યા છે
સિંધિયા પરિવારે રાજકારણની શરૂઆત કોંગ્રેસ સાથે કરી હતી. દેશ આઝાદ થયો ત્યારબાદ મધ્ય ભારતના તત્કાલીન મહારાજ જીવાજી રાવ સિંધિયાને રાજ પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમણે જ પહેલા મંત્રીમંડળને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ મહારાણી વિજ્યારાજે સિંધિયા કોંગ્રેસમાં જોડાયા. ત્યારબાદ 1977 માં દીકરા માધવ રાવ સિંધિયાએ અપક્ષ ચૂંટણી લડી અને પછી તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. 1984માં તેમણે ભાજપના નેતા વાજપેયીને ઘણા મતોથી હરાવીને આખા દેશનું ધ્યાન ખેંચ્યું. 2001એક પ્લેન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું.
રાજકારણની શરૂઆત કોંગ્રેસ સાથે કરી હતી
આ ઘટના પછી 2004માં તેમના દીકરા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પેટા ચૂંટણીમાં વધુ મતોથી જીત પ્રાપ્ત કરી. 2007માં કોંગ્રેસ દ્વારા તેમને કેન્દ્રીય મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા. 2009માં તેમને ત્રીજી વાર પસંદ કરવામાં આવ્યા અને રાજ્ય કક્ષના મંત્રી બનાવ્યા. 2019 માં તેઓ હારી ચૂંટણીમાં હારી ગયા. જે આખા પરિવાર માટે એક ગંભીર પરિણામ હતું. અંતે તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. આ વચ્ચે જ ભાજપે તેમને રાજયસભાના સભ્ય તરીક લેવામાં આવ્યા. ઘણા સમયથી એવી માનવામાં આવતું હતું કે તેઓ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનશે. આ પદ સંભાળ્યા બાદ તેઓ રાજ પરિવારના પહેલાં એવા પુરુષ હશે જે સ્વતંત્ર ભારતના કોંગ્રેસ સિવાયના મંત્રી મંડળમાં સામેલ થશે.