IRCTC તરફથી એક એવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં મુસાફર પાસે પૈસા ન હોવા છતાં પણ કોઈપણ મુશ્કેલી વિના તેઓ ઘરે જવા માટે ટિકિટ બુક કરાવી શકે છે.
ટ્રેન દ્વારા મુસાફરી કરીને ઘરે જતાં લોકોની સંખ્યામાં ભારે વધારો થયો
IRCTC એ નવી સુવિધા ચાલુ કરી
શું છે ટ્રાવેલ નાઉ પે લેટર
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હાલ આ તહેવાર પર દરેક લોકો તેના ઘરે જઈને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરે છે. એટલા માટે હાલ ટ્રેન દ્વારા મુસાફરી કરીને ઘરે જતાં લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. જેના કારણે ભારતીય રેલવે દ્વારા 211 ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ટ્રેનો યુપી-બિહાર અને અન્ય રાજ્યો માટે ચલાવવામાં આવી રહી છે. ઘરે જવા માટે સરકારે ટ્રેન વધારી આપી પણ વધુ પડતાં ખર્ચાને કારણે અને પૈસાના અભાવે ટ્રેનોમાં ટિકિટ બુક નથી કરવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી, આ માટે પણ IRCTC એ નવી સુવિધા ચાલુ કરી છે.
IRCTC એ કઈ સુવિધા કરી શરૂ
IRCTC તરફથી એક એવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં મુસાફર પાસે પૈસા ન હોવા છતાં પણ કોઈપણ મુશ્કેલી વિના તેઓ ઘરે જવા માટે ટિકિટ બુક કરાવીને ટ્રેનમાં મુસાફરી કરી શકશે. જણાવી દઈએ કે IRCTC એ CASHe સાથે ટ્રાવેલ નાઉ પે લેટર (Travel Now Pay Later) સુવિધા સાથે જોડાણ કર્યું છે. એટલે કે હવે તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવીને મુસાફરી કરી શકો છો અને એ મુસાફરી માટેની ચુકવણી પછી કરી શકો છો.
શું છે ટ્રાવેલ નાઉ પે લેટર
IRCTC તરફથી શરૂ કરવામાં આવેલ ટ્રાવેલ નાઉ પે લેટર સુવિધા EMI ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. એટલે કે EMI ઓપ્શનથી તમે બુકિંગની તારીખથી 3 થી 6 મહિનાની અંદર ટિકિટ બુક કરી શકો છો. એટલા માટે કોઈ પણ લોકો દિવાળી અને છઠ દરમિયાન કોઈપણ મુશ્કેલી વિના આ સુવિધાનો લાભ લઈ શકશે. "ટ્રાવેલ નાઉ પે લેટર" સુવિધા સામાન્ય અને તત્કાલ બંને વિકલ્પ માટે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે આ સુવિધાનો લાભ લેવા માટે કોઈ ખાસ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.
CASHeના ચેરમેન વી રમણ કુમાને જણાવ્યું હતું કે આ સુવિધા IRCTC વેબસાઇટની મદદથી સમગ્ર દેશમાં લાગુ છે અને આ સાથે CASHe નો પ્લાન દેશનું સૌથી મોટું ક્રેડિટ પ્લેટફોર્મ બનવાનું છે. TNPL સર્વિસ હેઠળ સમગ્ર દેશમાં આ યોજનાને વિસ્તારવી છે.