23 ઓકટોબરના રોજ શનિ દેવ માર્ગી થશે, જેથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. જાણો કઈ કઈ છે આ રાશિઓ
23 ઓક્ટોબરથી શનિદેવ થઈ રહ્યા છે માર્ગી
બધી જ રાશિઓ પર પડશે અસર
ત્રણ રાશિઓના જાતકોને થશે વિશેષ લાભ
શનિ દેવ હાલમાં મકર રાશિમાં વક્રી સ્થિતિમાં છે એટલે કે અત્યારે તેઓ ઉલટી ચાલ ચાલી રહ્યા છે. શનિને મકર રાશિના સ્વામી કહેવામાં આવે છે, પણ 23 ઓકટોબરથી તેઓ સીધી ચાલ ચાલશે. બધી જ રાશિઓ પર તેની શુભ અથવા અશુભ અસર પડશે, પણ શનિના માર્ગી થવાનો સીધો લાભ ત્રણ રાશિઓના જાતકોને મળશે. ચાલો જાણીએ કઈ કઈ છે આ ત્રણ રાશિઓ.
મેષ રાશિ
શનિદેવનાં માર્ગી થવાથી મેષ રાશિના જાતકો પર શુભ અસર પડશે. આ દરમિયાન તેમને ભાગ્યનો સાથ મળશે. આ રાશિના કારોબારીઓને ઘણો ફાયદો થશે. નોકરિયાતોનું પ્રમોશન થઈ શકે છે. ઘણી જગ્યાઓથી ધન લાભ થશે. સ્ટોક માર્કેટ, લોટરીમાં પણ પૈસાનું રોકાણ કરવા માટે સારો સમય રહેશે. ઘરમાં કોઈ શુભ કામ થઈ શકે છે. નવા મકાન અને વાહન ખરીદવના યોગ બની શકે છે. આ દરમિયાન માં લક્ષ્મીની કૃપા રહેશે.
ધનુ રાશિ
શનિદેવનાં માર્ગી થવાથી ધનુ રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે. અચાનક મોટો ધન લાભ થઈ શકે છે. ઘરમાં શુભ કાર્ય થશે. પરિવારનો સાથ અને પ્રેમ મળવાથી જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. કુંવારા લોકો માટે વિવાહનો યોગ બનશે. અટકેલાં પૈસા પાછા મળી જશે. સમાજમાં માન - પ્રતિષ્ઠા વધશે.
મીન રાશિ
શનિના માર્ગી થવાથી મીન રાશિના જાતકોને સીધો ફાયદો થશે. આ દરમિયાન ધનની અછત દૂર થશે. નવી નોકરીની પણ આ દરમિયાન ઓફર મળી શકે છે. નોકરીમાં બોસ તમારા કામથી ખુશ થશે. કારોબારીઓની મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. નવો બિઝનેસ શરૂ કરનારાઓ માટે 23 ઓકટોબર બાદથી શુભ સમય રહેશે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. જીવનમાં સફળતા મળશે.