દાન કરવું તે એક ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. જે યુગોથી ચાલી આવે છે. દાન માણસના ધર્મમાં ગણવામાં આવે છે. કારણ કે દાન કોઈ વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરે છે. પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દાન કરવાથી સમસ્યાઓ દૂર થાય છે અને મનોકામના પરિપૂર્ણ થાય છે. આજે અમે તમને જણાવીશું પુરાણોમાં કહેલી કેટલીક બાબતો. જેના દાનથી તમારૂ જીવન સુખદ બનશે.
મીઠું
મીઠાનું દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે અને સારા દિવસોની શરૂઆત થાય છે.
તલ
તલનું દાન આપવાથી શકિત મળે છે અને મૃત્યુનો ડર દૂર થાય છે.
ઘી
ઘીનું દાન કરે છે તેમની શારીરિક નબળાઈ દૂર થાય છે.
કપડાં
નવા અથવા જૂના કપડા આપવાથી તમારી ઉંમર વધે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
અનાજ
અનાજ દાન કરનારાઓના ઘરમાં ખોરાકની અછત રહેતી નથી.
ગોળનું
ગોળનું દાન કરવાથી આપણને શુદ્ધ અને સ્વાદિષ્ટ ખોરાક મળે છે.