કોરોના વાયરસ સામે લડવા માટે સમગ્ર દેશ એક થઇ ગયો છે. દેશની ઔધોગિક સંસ્થાઓ સહિત ઉદ્યોગપતિઓ કોરોના વાયરસની સામેની લડાઇમાં મદદ કરી રહ્યા છે, ત્યારે પતંજલિ તરફથી બાબા રામદેવે પણ પીએમ રિલીફ ફંડમાં આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવે જાહેરાત કરી હતી કે કોરોના સામેની લડાઇમાં પંતજલિ 25 કરોડ રૂપિયા આપશે. પંતજલિ તરફથી આ મદદની રાશિ નરેન્દ્ર મોદીની પહેલા એવા પીએમ રિલીફ ફંડમાં જમા કરવામાં આવશે. બાબા રામેદેવે કહ્યુ કે, પંતજલિ અને તેમની સહયોગી સંસ્થાઓના તમામ કર્માચારી પણ પોતાનો એક-એક દિવસનો પગાર પીએમ રીલિફ ફંડમાં દાન કરશે. બાબા રામદેવે પંતજલિ સાથે જોડાયેલા શ્રદ્ઘાળુઓને પણ દાન કરવાની અપીલ કરી છે.
બાબા રામદેવે જણાવ્યુ કે, ''અમે આ માધ્યમથી કોરોના સામેની દેશની લડતમાં મદદ કરીશું. આ સિવાય તેમણે જણાવ્યુ કે, પતંજલિની પાંચેય સંસ્થાઓ કોઇપણ પરિસ્થિતિમાં મદદ કરવા માટે તૈયાર છે.''
ઉદ્યોગ જગતમાં રતન ટાટાએ સૌથી પહેલા ટાટા ટ્રસ્ટ મારફતે રૂા.500 કરોડની મદદથી કોમ્યુનિટી મજબૂત કરવા અને તેનું રક્ષણ કરવાની વાત કરી છે. 82 વર્ષિય ટાટાની આ જાહેરાતના અઢી કલાક બાદ ટાટા સન્સે પણ રૂપિયા 1000 કરોડની જાહેરાત કરી હતી.
તો બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પીએમ રિલીફ ફંડમાં 500 કરોડ આપવાની જાહેરાત કરી છે, તે ઉપરાંત કંપની 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર તથા ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ આપશે. કંપની તરફથી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે, તે 5 લાખ લોકોને આગામી 10 દિવસ ભોજન પૂરુ આપશે. એટલે કે 50 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Reliance Industries announces Rs. 500 crores contribution to #PMCARES Fund. In addition to its multi-pronged on-the-ground fight against #COVID19: Reliance Industries
અદાણી ફાઉન્ડેશન પીએમ રિલીફ ફંડ માટે 100 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. ગ્રુપ તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યુ છે કે, આ સિવાય અન્ય રિસોર્સથી સરકાર અને દેશની જનતાની મદદ કરીશું.
Adani Foundation is humbled to contribute Rs 100 cr to #PMCaresFund in this hour of India’s battle against #COVID19. Adani Group will further contribute additional resources to support governments and fellow citizens in these testing times: Gautam Adani, Chairman, Adani Group pic.twitter.com/VJ7SpER4tW
આ સિવાય પેટ્રોલિયમ મંત્રાલય તરફથી આવનારી પબ્લિક સેક્ટર કંપનીઓને કોરોના સંકટને ધ્યાનમાં રાખીને પીએમ રિલીફ ફંડમાં અત્યાર સુધી સૌથી મોટું યોગદાન 1031.29 કરોડ રૂપિયા જમા કર્યા છે, આ રકમ ઇન્ડિયન ઑયલ, ભારત પેટ્રોલિયમ, ONGC જેવી કંપનીઓ દ્વારા ભેગા કરવામાં આવ્યુ છે.