15 ઑક્ટોબરથી લોકો ફરી સિનેમાહૉલમાં જઇ શકશે. આટલા સમયથી બંધ થિયેટર ફરીથી ખુલશે સાથે જ મનોરંજન પણ આપણા સૌના જીવનમાં આવશે. કોરોનાને કારણે બંધ થયેલા થિયેટર હવે જ્યારે ખુલવાના છે ત્યારે કઇ ફિલ્મ પહેલા રિલીઝ થશે તેના પર ચર્ચા ચાલી રહી છે.
મહિનાઓ બાદ ખુલશે થિયેટર્સ
આ મોટી ફિલ્મો થશે રી રિલીઝ
સુશાંતની ફિલ્મ કેદારનાથ પણ સામેલ
આ ફિલ્મો થશે રિલીઝ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને ફિલ્મો વિશે જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કર્યું કે, 6 હિન્દી ફિલ્મ રી-રિલીઝ થશે. જેમાં તાન્હાજી, વૉર, શુભ મંગલ ઝ્યાદા સાવધાન, મલંગ, થપ્પડ અને કેદારનાથ સામેલ છે. ભવિષ્યમાં બીજી ફિલ્મો પણ શેડ્યુલ કરવામાં આવશે.
સુશાંતની ફિલ્મ રીલીઝ
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથ આમ તો 2018માં રિલીઝ થઇ હતી પરંતું હાલ સુશાંતનો ડેથ કેસ ખુબ ચર્ચામાં છે તો તેના ફેન્સને ટ્રીટ આપવા માટે આ ફિલ્મને ફરી રીલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે સુશાંતે તેના મુંબઇ સ્થિત ઘરમાં 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી.
તાન્હાજીનો ફરીથી થશે બિઝનેસ
આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મોમાંથી અજય દેવગણની ફિલ્મ તાનાજીએ બમ્પર કમાણી કરી હતી. આ મૂવી જાન્યુઆરીમાં રિલીઝ થઇ હતી. હવે જ્યારે ફરી થિયેટર ખુલવાના છે તો તાનાજી પણ થશે રિલીઝ