ગુજરાતમાં એક જ દિવસમાં હત્યાના પાંચ બનાવો, ગુનેગારોને નથી રહ્યો કાયદા અને વ્યવસ્થાનો ડર..આણંદ, સુરત, જૂનાગઢ,બોટાદ સહિત બનાસકાંઠામાં હત્યાનો બનાવો
ગુજરાતમાં એક જ દિવસમાં પાંચ હત્યાઓ
ગુનેગારોની નથી રહ્યો કાયદા અને વ્યવસ્થાનો ડર
હત્યા બાદ પોલીસ તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
ગુજરાતમાં દિવસને દિવસે કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે, ક્રાઈમ કેસમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આજે એક દિવસમાં હત્યાની પાંચ ઘટનાઓ સામે આવી છે, જે સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે આજે આણંદ, સુરત, જૂનાગઢ,બોટાદ,બનાસકાંઠામાં હત્યાના પાંચ બનાવ સામે આવ્યા છે, પોલીસ તંત્ર અને કાયદા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
આણંદના ભાદરણ ગામમાં આધેડની હત્યા
આણંદમાં ભાદરણ ગામે લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ રાત્રિના સમયે આધેડની હત્યા કરી દેતા ગામમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળમાં ચોરી અને લૂંટ ફાટની ઘટનાઓ વધી છે ત્યારે ભાદરણ ગામે આ આધેડ એક NRI મકાનની સાચવણીનું કામ કરતા હત્યા ત્યારે લૂંટ કરવા આવેલા આ શખ્સોએ લૂંટ ચલાવી તેને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જામ ભાદરણ પોલીસને કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં પોલીસે માર મારતા વોચમેનનું મૃત્યુ
અવાર નવાર કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરત પોલીસની ખાખી પર ડાગ લાગ્ય છે, કેમ કે પોલીસે સુરત ડાયમંડ ફેક્ટરીમાં વોચમેન તરીકે કામ કરતા વોચમેન પર પ્રોહીબિશનના ગુનામાં જેલમાં ધકેલી દીધો હતો, પરતું વોચમેન જામીન પર છૂટ્યા બાદ પોતાનો મોબાઈલ લેવા પોલીસ મથકે ગયો તો વરાઠા પોલીસ મથકના ડી સ્ટાફે માર મારતા માથાની નસ ફાડી ગઈ હતી જેથી તેનું બ્રેઈન હેમરેજ થતા મોત નિપજ્યું હતું. આમ પોલીસના મારથી વોચમેનનું મોત તેમની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે વોચમેનના ભત્રીજાએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા સમગ્ર મામલે ACPને તપાસ સોંપવામાં આવી છે.
જૂનાગઢમાં એડવોકેટની છરીના ઘા મારી હત્યા
આ તરફ જૂનાગઢમાં મંગલધામ સોસાયટીમાં રહેતા નિલેશ દાફડા નામના વકીલની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાતા ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સોએ અંગત અદાવતમાં વકીલ પર હુમલો કર્યો હતો જેમાં એડવોકેટની ગળાના ભાગે છરીના ઘા મારીને તેમની હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ હતી, જો કે સરેઆમ અસામાજીક તત્વોએ હત્યા કરી દેતા સમગ્ર પથંકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે જો કે પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ગઢડાના વાવડી ગામે અપહરણ કરી યુવકની હત્યા
બોટાદના ગઢડાના વાવડી ગામે યુવકની કર્પીણ હત્યા કરી દેવામાં આવી, પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા જયસુખ ભાલીયા નામના યુવાકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો બાદમાં ગામ પાસે યુવકનો મૃતદેહ ફેંકી દેવાયો હતો, જોકે યુવકના પરિવારજનોએ પ્રેમલગ્ય કર્યાની અંગત અદાવત રાખી યુવકની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે મૃતક યુવકે ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, જ્યારે પરિવારજનોએ પાંચ શખ્સો વિરૂદ્ધ અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવી છે, જેને લઈ પોલીસ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસાના મુડેઠા ગામના સરપંચની હત્યા
બનાસકાંઠાના ડીસામાં આવેલા મુડેઠા ગામે સરપંચની હત્યા કરી દેવામાં આવી, જેમાં સરપંચ કાંતિ રાઠોડે પંચાયતમાં કામ કરતા ઈશ્વર રાઠોડને છૂટો કરી દેવાતા તેને માઠું લાગી આવ્યું હતું જે બાદ ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે ટ્રેક્ટરથી ટક્કર અકસ્માત સર્જ્યો હતો જેમાં સરપંચ કાંતિ રાઠોડનું મોત નિપજ્યું હતું આમ ભીલડી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ઈશ્વર રાઠોડની ધરપકડ કરી હતી.
સુરતમાં પૂજારીનો આપઘાત
સુરતમાં સંગ્રામપુરામાં સીતારામ મંદિરના પૂજારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે 28 વર્ષીય પૂજારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. થોડા સમય પહેલા જ આ પૂજારી ઉત્તરપ્રદેશથી સુરત આવ્યા હતા પરતું વતનમાં બીમાર માતા પિતાને સારવાર માટે રૂપિયા ન કોલતી શકતા પૂજારીએ આપઘાત કરી લેતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અરવલ્લીમાં પિતાએ ત્રણ બાળકોની હત્યા કરી
મહત્વનું છે કે ગુજરાતમાં આજે પણ હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં આણંદ, સુરત, જૂનાગઢ,બોટાદ અને બનાસકાંઠામાં હત્યાના બનાવ સામે આવ્યા છે, મહત્વનું છે કે ગઈ કાલે જ અરવલ્લીમાં ઘરકંકાસમાં પિતાએ જ ત્રણ બાળકોની હત્યા કરી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, આરોપીએ ત્રણ બાળકોને વૈડી ડેમમાં પધરાવી દીધા હતા. એટલું જ નહીં આરોપીએ અઠવાડિયા પહેલા પત્ની ઉપર પણ ડાકણ હોવાનો વ્હેમ રાખીને તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો, બાદમાં બાળકોને મોતને ઘાટ ઉતારીને પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.