અરજદાર અને તેના પતિ રામચંદ્ર કોંડાલકરે ૬/૫/૮૦ના રોજ લગ્ન કર્યાં. રામચંદ્ર દ્વારા હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩ હેઠળ વ્યભિચારના આધારે અરજી અદાલતમાં દાખલ કર્યા પછી બંને એક બીજાંથી અલગ થઈ ગયાં હતાં. અરજદાર પત્નીએ ૧ર /૮/૧૦ના રોજ ભથ્થું વધારવાની અરજી કરી હતી. જે બાદ મેજિસ્ટ્રેટે અરજદાર પત્ની અને પુત્રને અનુક્રમે રૂ ૫૦૦ અને ૪૦૦ રૂપિયાની ભરણપોષણની રકમ વધારી દીધી હતી.
જ્યારે પતિ દ્વારા ભરણ પોષણ રદ કરવા માટે દાખલ કરેલી અરજી નામંજૂર કરવામાં આવી હતી. એડ્વોકેટ મહેન્દ્ર દેશમુખ અરજદાર પત્ની વતી હાજર થયા હતા અને દલીલ કરી હતી કે અરજદાર છૂટાછેડા લીધા હોવા છતાં પણ તે સીઆરપીસી ૧૯૭૩ની કલમ ૧ર૫(૪)ની ૫ેટા કલમ ૪ની જોગવાઈ હેઠળ ભરણ૫ોષણ મેળવવા માટે હકદાર છે અને તે હેતુઓ હેઠળની એક મહિલા છે. દેશમુખે સુપ્રીમ કોર્ટના બે નિર્ણય વનમાલા વિ. એચ.એમ. રંગનાથ ભટ્ટા ૧૯૯૫ અને રોહતાસ સિંહ વિ. રામેદ્રીના ચુકાદાને આધાર તરીકે રજૂ કરેલ બીજી તરફ પ્રતિવાદી પતિના વકીલ કાવ્યલ શાહ તરફથી દલીલ કરી હતી કે અરજદાર પતિ દ્વારા શરૂ કરાયેલ છૂટાછેડાની કાર્યવાહીને મંજૂરી આપવી જોઈએ કારણ કે અરજદાર પત્ની વિરુદ્ધ વ્યભિચારનો આરોપ સાબિત થયો છે. આમ અધિનિયમની કલમ ૧ર૫ની પેટા કલમ (૪) હેઠળના કાયદાકીય પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને નીચલી અદાલતે યોગ્ય રીતે કહ્યું છે કે અરજદાર ભરણ૫ોષણ માટે હકદાર નથી.
બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે કહ્યું તથ્ય એ છે કે ધારાની કલમ ૧ર૫ની પેટા કલમ (૪) હેઠળની જોગવાઈઓ અનુસાર મહિલાને ભરણો૫ોષણના માટે દાવો કરવાના અધિકાર પર સ્પષ્ટ પ્રતિબંધ છે. જો આવી મહિલાઓ વિરુદ્ધ વ્યભિચારના આરોપો સાબિત થાય છે અથવા તેણીને પતિ તરફથી ગુજારા ભથ્થું આપવા તૈયાર હોવા છતાં સાથે રહેવાની ના પાડી દે છે તો તે મહિલા / પત્નીને ગુજારા ભથ્થું ચૂકવવાનો ઇન્કાર થઇ શકે છે.
આ અરજી હેઠળ અરજદારના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલા ચુકાદાનો ઉલ્લેખ કરતાં ન્યાયાધીશ સંબ્રેએ કહ્યું હતું કે બંને ચુકાદા અરજદારને કોઈ પણ રીતે મદદ કરતા નથી, કારણ કે બંને ચુકાદાઓ તેવી મહિલાના અધિકારોને ઓળખે છે જેણે છૂટાછેડા લીધા છે ૫રંતુ તે વ્યભિચારના આધારે છૂટાછેડા લીધા નથી. કોર્ટે અરજદાર ૫ત્નીની આ અરજીઓને ફગાવી દીધી હતી અને જણાવેલ કે અરજદારની ગુજારા ભથ્થાંની માગણી માટેનો દાવો કરવાના અધિકાર પરના સ્પષ્ટ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને જે વ્યભિચારના આરોપના આધારે ર૭/૦૪/ર૦૦૦ના રોજ છૂટાછેડા લેવાનો આદેશ અપાયો હતો, નીચલી અદાલતે યોગ્ય રીતે ચુકાદો આપ્યો છે કે અરજદાર-પત્ની ભરણ૫ોષણ માટે હકદાર નથી. આ ચૂકાદો સંજીવનીબહેન રામચંદ્ર કોન્ડાલકર વિરુદ્ધ રામચંદ્ર ભીમરાવ કોન્ડાલકરના કેસ નં. ર૫૪૭/૧૬ અને ર૫૪૬/૧૬ના કેસમાં તા. ૧૮/૧ર/૧૯ના રોજ આ૫વામાં આવેલ છે.