WHO કોરોનાના ગંભીર દર્દીઓ માટે બે દવાઓના વપરાશ માટે મંજૂરી આપી. આ દવા લેવાથી દર્દીએ વેન્ટિલેટરની જરુર નહી પડે
કોરોનાના ગંભીર દર્દીઓ માટે નવી બે દવા
WHOએ બે દવાના વપરાશની આપી મંજૂરી
આ દવા લેવાથી વેન્ટિલેટરની નહી પડે જરુર
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાને લીધે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે જો કે બીજી લહેર કરતા હાલમાં મોતની સંખ્યા ઓછી છે. પરંતુ કોરોનાના ગંભીર દર્દીઓ માટે WHOએ એવી બે દવાની મંજૂરી આપી છે કે જેનાથી કોરોનાના દર્દીઓને ઘણી રાહત રહેશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાના ગંભીર દર્દીઓને બચાવવા માટે નવી બે દવાને મંજૂરી આપી દીધી છે. જે કોરોનાના દર્દીઓ ક્રિટિકલ સ્થિતિમાં હશે તેઓ આ દવા લઇ શકશે જેનાથી દર્દીને ઘણી રાહત મળેશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ દવાથી કોરોનાના દર્દીઓની મોતની સંખ્યામાં પણ ઘટાડો થશે.
કઇ છે તે દવા ?
પહેલી દવાનુ નામ છે બેરિસિટિનિબ. આ દવા રુમટૉઇડ આર્થ્રાઇટિસના ઉપચારમાં ઉપયોગી નીવડે છે. કોરોનાના ગંભીર દર્દીઓને આ દવા લેવાથી વેન્ટિલેટરનો સહારો લેવો પડતો નથી. આ દવાને સ્ટીરોઇડ સાથે આપવાની ડોક્ટર સલાહ આપે છે.
બીજી દવાનું નામ ઠે સોટ્રોવિમૈબ. આ એક મોનોક્લોનલ એન્ટી બોડીની દવા છે. આ દવા એવા દર્દીઓ માટે કારગર સાબિત થશે જેઓની હાલત ગંભીર નથી પરંતુ હાઇરિસ્ક ધરાવતા હોય. મહત્વનું છે કે WHO એ Casirivimab-Imdevimab કોમ્બિનેશન એન્ટીબોડી કોકટેલને પણ મંજૂરી આપી છે.
દેશમાં પહેલી વખત ઉપયોગમાં લેવાશે આ દવા
ભારતમાં આ દવા પહેલીવાર ઉપયોગમાં લેવામાં આવશે. ઘણા ડોક્ટર અને હેલ્થકેર વર્કર્સ કોરોના સંક્રમણ થવાના પહેલા દિવસે મોનોક્લોનલ એન્ટીબોડી ઇન્જેક્શન લઇને કોરોનાનો ઇલાજ કરાવે છે. જો કે એન્ટીબોડીથી સારવાર કરાવવી થોડી માંગી છે. આ દવા લેવાથી દર્દી 4-5 દિવસમાં જ કોરોના નેગેટીવ થઇ જાય છે.
અગાઉ 3 દવાને મળી હતી મંજૂરી
WHOએ જુલાઈ 2021 માં આર્થરાઈટિસની દવા ટોસીલિઝુમાબ અને સરિલુમાબ આ બંને દવાના વપરાશની મંજૂરી આપી હતી. જ્યારે સપ્ટેમ્બરમાં
WHO દ્વારા સિંથેટિક એન્ટીબોડી ટ્રીટમેન્ટ રીજેરોન દવાને મંજૂરી આપી હતી.