ચીનમાં વધુ એક વાયરસે દસ્તક લીધી છે જે કોરોનાથી પણ વધુ ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે આ વાયરસ વાનરોથી જોડાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દુનિયામાં વધુ એક ઘાતક વાયરસની એન્ટ્રી
મંકી બી વાયરસને લીધે ચીનમાં તબીબ મોત
વાયરસમાં મુત્યુદર 80 ટકા હોવાનું મનાઈ રહ્યું છે
સમગ્ર દુનિયા કોરોનાના ઘાતક વાયરસ સામે ઝઝૂમી રહી છે. ત્યારે ચીનમાં વધુ એક વાયરસે દસ્તક લીધી છે જે કોરોનાથી પણ વધુ ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે આ વાયરસ વાનરોથી જોડાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વાયરસને કારણે ચીનમાં એક પશુચિકિત્સક ડોક્ટરનું મોત પણ થઈ ચુક્યું છે.
દુનિયામાં વધુ એક ઘાતક વાયરસની એન્ટ્રી
ચીનના ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર ચીનની રાજધાની બેઈજિંગમાં 53 વર્ષીય પશુચિકિત્સક જ્યારે બિન માનવીય પ્રાઈમેટ્સ પર સંશોધન કરી રહ્યા હતા. ત્યારે માર્ચ મહિનામાં તેમણે બે મૃત વાંદરાઓ પર સંશોધન કર્યું હતું. આ પછી તેમને એક મહિના પછી ઉલચી થવાના પ્રારંભિક લક્ષણો દેખાયા. તેમજ ઘણી હોસ્પિટલોમાં તેમની સારવાર કરવામાં આવી પરતું તેમનું 27 મે ના રોજ અવસાન થયું હતું. તો ચીનને પણ આ પશુચિકિત્સકનું મોત થતા સત્તાવાર જાહેર કરવું પડ્યું કે મંકી બી વાયરસ એ લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે ખાસ કરીને એ લોકો માટે જેઓ વાનરોના સંપર્કમાં સતત રહે છે અને તેમની સાથે કામ કરે છે.
મંકી બી વાયરસને લીધે ચીનમાં તબીબ મોત
જે પશુ ચિકિત્સકનું મોત નિપજ્યું હતું તેના શરીરતા ઘણા નમૂના લેવામાં આવ્યા હતા અને આ નમૂનાઓ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર વાઈરલ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે આ વ્યક્તિનમાં મંકી બી વાયરસના ચેપની પુષ્ટી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. સમગ્ર મામલે થોડા દિવસો પહેલા જ ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સનને આ કેસની જાણકારી આપી હતી.
વાયરસમાં મુત્યુદર 80 ટકા હોવાનું મનાઈ રહ્યું છે
જો વાત કરવામાં આવે તો મંકી બી વાયરસ પુખ્ત વયના વાંદરાઓ દ્વારા ફેલાય છે. આ વાંદરાઓ આ વાયરસને ચિમ્પાંજી વાંદરાઓમાં પણ ફેલાવી શકે છે, જેના કારણે ચિમ્પાન્જી પણ મરી શકે છે. ચેપગ્રસ્ત વાંદરાઓનો સંપર્ક આવવાને કારણે આ વાયરસ માણસોમાં પણ આવી શકે છે. કોરોના વાયરસની જેમ આ વાયરસમાં પણ પ્રથમ લક્ષણો તાવ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો હોવાનું મનાઈ છે. સમય જતા મંકી બી વાયરસથી અસરગ્રસ્ત વ્યક્તિ ઉબકાઓ આવી શકે છે,તેમજ શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, બેચેની જેવા લક્ષણો પણ મંકી બી વાયરસમાં જોવા મળે છે. જ્યારે આ રોગ વાયરસ ગંભીર રૂપ ધારણ કરે છે.
વાયરસને ચિમ્પાંજી વાંદરાઓમાં પણ ફેલાવી શકે
મંકી બી વાયરસ પુખ્ત વયના વાંદરાઓ દ્વારા ફેલાય છે. આ વાંદરાઓ આ વાયરસને ચિમ્પાંજી વાંદરાઓમાં પણ ફેલાવી શકે છે, જેના કારણે ચિમ્પાન્જી પણ મરી શકે છે. ચેપગ્રસ્ત વાંદરાઓનો સંપર્ક આવવાને કારણે આ વાયરસ માણસોમાં પણ આવી શકે છે. કોરોના વાયરસની જેમ આ વાયરસમાં પણ પ્રથમ લક્ષણો તાવ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો હોવાનું મનાઈ છે. સમય જતા મંકી બી વાયરસથી અસરગ્રસ્ત વ્યક્તિ ઉબકાઓ આવી શકે છે,તેમજ શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, બેચેની જેવા લક્ષણો પણ મંકી બી વાયરસમાં જોવા મળે છે.
વાયરસ મગજમાં બળતરા પેદા કરવાનું શરૂ
જ્યારે આ રોગ વાયરસ ગંભીર રૂપ ધારણ કરે છે ત્યારે વાયરસ મગજમાં બળતરા પેદા કરવાનું શરૂ કરે છે, જેના કારણે ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે અને નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે મગજને નુકસાન પણ થઈ શકે છે અને દર્દીનું મૃત્યુ થાય છે. ચેપી રોગોના નિષ્ણાત જાપાની ડોક્ટર કેન્ટોરા ઇવાતાએ વોશિંગ્ટન પોસ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો સારવાર ન કરવામાં આવે તો 70 થી 80 ટકા દર્દીઓ આ વાયરસથી મરી શકે છે.
વાનરોમાંથી માણસમાં વાયરસ ફેલાવાના 50 કેસ સામે
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના જણાવ્યા મુજબ, 1932માં આ વાયરસ સામે આવ્યા પછી વાનરોમાંથી માણસમાં વાયરસ ફેલાવાના 50 કેસ સામે આવ્યા છે જેમાં 21 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં આ વાયરસના માનવથી માનવીય સંક્રમણના ફક્ત એક જ કેસ નોંધાયા છે. ડોકટરોના કહેવા પ્રમાણે, જો કોઈ વાંદરાએ કરડ્યો હોય, તો પછી સાબુ, ડીટરજન્ટ અથવા આયોડિનથી 15 મિનિટ સુધી ધીમેથી ઘા ધોઈ લો. આ પછી, ઘા પર 15 મિનિટ સુધી પાણી ચલાવવું જોઈએ અને આ કિસ્સામાં તબીબોનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. મહત્વનું છે કે ચાઈના બાદ હવે અમેરિકામાં પણ આ વાયરસથી ભય ફેલાયો હોય તેવું જણાઈ રહ્યું છે વાંદરાથી સંબંધિત વાયરસ યુ.એસ. અધિકારીઓ 27 રાજ્યોમાં 200 લોકોની તપાસ કરી રહ્યા છે કે કેમ કે કેમ કે તેમને વાંદરાઓથી ચેપ લાગ્યો છે.
મંકી બી વાયરસનો પ્રથમ કેસ વર્ષ 1932માં નોંધાયો
ખરેખર, અમેરિકાના ડલ્લાસ શહેરમાં રહેતી એક વ્યક્તિ નાઇજીરીયા ગઇ હતી અને આ સફર દરમિયાન આ વ્યક્તિને આ રોગ થયો હતો. જો કે મંકી બી વાયરસનો પ્રથમ કેસ વર્ષ 1932માં નોંધાયો હતો, ત્યાં વાંદરોમાંથી માણસમાં પ્રથમ કેસ વર્ષ 1970માં સામે આવ્યો હતો. વાંદરામાં, ત્વચા પર ફોલ્લીઓ હોય છે તેમ આ વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને પણ ફોલ્લીઓ થઈ જાય છે અને તાવ પણ આ રોગનું લક્ષણ માનવામાં આવે છે. હાલ તો સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે અને હોસ્પિટલ વહીવટી તંત્રનું કહેવું છે કે હાલમાં આ વ્યક્તિની હાલત સ્થિર છે.