અત્યાર સુધી તમે અને અમે માનવતાની દીવાલ વિશે ખુબ સાંભળ્યું છે. જે દિવાલ પર લોકો કપડા સહિતની વસ્તુઓ ગરીબ અને અનાથ લોકો માટે મુકી જતા હોય છે અને જેને જરૂર હોય તે લઈ જતા હોય છે. પરંતુ અમદાવાદમાં પ્રથમ વખત ભોજનની દિવાલ શરૂ થઈ છે. ભોજનની દીવાલ...મનમાં સવાલ થયો હશે. જીહાં ભોજનની જ દીવાલ... એટલે કે, પોતાના ઘરમાં જે પણ કાઈં ભોજન બને અને તેમાંથી જે ભોજન વધે તેને મહિલાઓ ફેંકવાની જગ્યાએ પોતાની જ સોસાયટીની બહાર ફ્રીજમાં મુકી દે છે અને જેને ભોજનની જરૂર છે તેના ગરીબ લોકો તેમાંથી તે ભોજન નિકાળી પોતાની ભૂખ શાંત કરે છે.
આજની આ દુનિયા સ્વાર્થી બનતી જાય છે. તેવામાં આ સ્વાર્થી દુનિયામાં કોઈ માનવતાને માન આપે તો. કોઈ ભૂખ્યાને ટૂંકડો આપે તો. કોઈ ભૂખ્યાની ભૂખ સંતોષે તો. આવું જ એક સુંદર કાર્ય અમદાવાદની એક સોસાયટીના લોકોએ શરૂ કર્યું છે. જેમણે ભૂખ્યાજનો માટે ભોજનની દીવાલ શરૂ કરી છે. ભોજનની દીવાલ..?
ધરણીધરની વચ્ચે આવેલા શાંતિ ટાવરના લોકોની પહેલ
ધરણીધરની વચ્ચે આવેલા શાંતિ ટાવરના છે. જ્યાં સોસાયટીના લોકોએ એક ઉત્તમ પહેલ શરૂ કરી છે. જે માટે તેમણે પોતાની જ સોસાયટીની બહાર એક ફ્રિજ મુક્યું છે. આ ફ્રીજ એટલે કો, ગરીબોની આતરડી ઠારતો અન્નો ભંડાર. કારણ કો, સોસાયટીના લોકો પોતાના ઘરમાં બનતા ભોજનમાંથી જેપણ કાંઈ વધે તેને લાવીને આ ફ્રીજમાં મુકી દે છે અને જે પણ ભૂખ્યા જરૂરિયાતમંદને જરૂર છે તે તેમાંથી જમવાનું લઈ જાય છે.
વધેલું જમવાનું ફેંકી દેવાને બદલે મુકી રાખે છે ફ્રીઝમાં
આ એક ઉત્તમ પહેલ છે. કારણ કે, આપણે ત્યાં સામાન્ય રીતે ઘરના બધા લોકો જમી લે એટલે વધેલો ખોરાક ફેંકી દેવામાં માનીએ છીએ. કારણ કે, અમુક કલાકો પછી તેને કાોઈ ખાઈ શકાતું નથી. પરંતુ સોસાયટીના લોકોને વિચાર આવ્યો કે, વધેલો સારો ખોરાક ફેંકવાની જગ્યાએ તેને ગરીબો સુધી કોમ ન પહોચાડાય. આજ ઉદ્દેશ્ય સાથે આ ફ્રીજને સોસાયટીની દીવાલ પર લગાવવામાં આવ્યું છે. જેમાં રોજ મહિલાઓ પોતાના ઘરમાં વધેલો ખોરાક, ફ્રૂટ, સહિતની વસ્તુઓ મુકી જાય છે અને જે કોઈને પણ જરૂર છે. તે ફ્રીજમાંથી જમવાનું નિકાળી પોતાની ભૂખ સંતોષે છે.
ભૂખ્યાને ભોજન આપવુ તેવી હંમેશા આ દેશમાં પરંપરા રહી
ભૂખ્યાને ભોજન આપવુ તેવી હંમેશા આ દેશમાં પરંપરા રહી છે અને ગ્રંથોમાં પણ અન્નદાનનો મહિમા વર્ણવાયો છે. ત્યારે આ અન્નદાન કરવાના અને વિલ્પ છે પરંતુ તે અનેક વિકલ્પમાંથી અન્નની દિવાલનો વિકલ્પ શાંતિ ટાવરમાં રહેતા લોકોએ શોધી કાઢ્યો છે. શાંતિ ટાવર જ નહીં આસપાસમાં આવેલી સોસાયટીના રહિશો પણ આ અન્નદાનમાં નિયમિત પોતાનું યોગદાન આપે છે અને ઘરમાં જે પણ કંઈ બચ્યુ હોય તે સોસાયટીની બહાર મુકાયેલા ફ્રીજમાં મુકી જાય છે.
આ ઉત્તમ પહેલને વીટીવી ખૂબ આવકારે છે
આ ઉત્તમ પહેલને વીટીવી ખૂબ આવકારે છે. સાથે-સાથે સોસાયટીના લોકાોને પણ બિરદાવે છે કે, તેમને આ પ્રકારે અન્ના સદઉપયોગ વિશે વિચાર્યું. જોકો આ એક પહેલ છે. જેને આપણો સમાજ સમજે અને તે દિશામાં યોગ્ય કામ કરે તો.. એટલું ચોક્કસથી કહી શકાય કે, કોઈ વ્યક્તિએ રસ્તા પર ભીખ નહીં માંગવી પડે અને કોઈએ રાત્રે ભૂખ્યા નહીં સૂવું પડે.