ગુજરાતના રાધનપુરમાં બિસ્માર રોડથી પરેશાન વિદ્યાર્થીઓ જાતે જ પાવડા-કોદાળી લઈ સાફ સફાઈ કરવા રોડ રસ્તા પર ઉતરી આવ્યા
રાધનપુરમાં બિસ્માર રોડથી વિદ્યાર્થીઓ પરેશાન
વિદ્યાર્થીઓએ પાવડા-કોદાળીથી સાફ સફાઈ કરી
વિદ્યાર્થીઓએ રેલી યોજી દર્શાવ્યો વિરોધ
પાટણના રાધનપુરમાં બાળકો ગંદા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે તેમજ શાળાએ જતા રસ્તો પણ ઉબડખાબડ અને બિસ્માત હોવાથી રોડ રસ્તા પર સતત પાણી ભરાયેલા જોવા મળે છે આ મામલે તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી હવે શાળાના બાળકો જાતે જ મેદાનમાં ઉતર્યા છે.
રાધનપુરમાં બિસ્માર રોડથી વિદ્યાર્થીઓ પરેશાન
પાટણી રાધનપુર ખાતે આવેલી નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓ જાતે જ હાથમાં પાવડા,કોદાળી લઈને રોડ પર ઉતરી આવ્યા છે. રાધનપુરમાં શાળાએ જતી વખતે જે રોડ કે રસ્તા પરથી પસાર થવું પડે છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ ચોમાસાનું પાણી ભરાઈ જતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા સંચાલકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેથી હવે વિદ્યાર્થીઓને જાતે જ હાથમાં પાવડો અને કોદાળી લઈ રસ્તો સાફ કરવાનું અભિયાન છેડ્યું છે.
વિદ્યાર્થીઓએ પાવડા-કોદાળીથી સાફ સફાઈ કરી
અહીં શાળાના વિદ્યાર્થીઓને રેલી યોજી બેનરો સાથે દેખાવો પણ કર્યો હતા છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે વિદ્યાર્થીઓએ આખરે જાતે જ રસ્તો બવવા કામે લાગી ગયા છે, એક તરફ રાજ્યમાં ચોમાસાની સિઝિન ચાલી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં ગંદા પાણી ભરાઈ જતા હોય છે ત્યારે રોગચાળોના ભય પણ રહેતો હોય છે પરતું તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. તો હવે વિદ્યાર્થીઓએ જાતે જ હાથમાં સાધનો લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગામોને દત્તક લેવાની પણ વાત પણ કરવામાં આવી હતી પરતું ગામોને દત્તક લેવાની વાત તો દૂર પરતું સ્વચ્છતાનો દૂર દૂર સુધી ઉલ્લેખ જોવા મળતો નથી ગામોની સ્થિતિ હજુ પણ ઠેરની ઠેર છે