આઝમગઢમાં મુસ્લિમ પરિવારે પાડોશીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પોતાના ઘરમાં માંડવો બાંધીને પુત્રીનાં લગ્ન કરાવ્યા છે અને વરને સોનાનો ચેન પહેરાવીને વિદાય કરાવી.
મુસ્લિમનાં ઘરમાં બંધાયો માંડવો
પાડોશીની પુત્રીનાં કરાવ્યા લગ્ન
સોનાની ચેન પહેરાવીને કરી વિદાય
આઝમગઢમાં એક મુસ્લિમ પરિવારે રમઝાનનાં પવિત્ર મહિનામાં ભાઈચારાની મિસાલ આપી છે. આ ઘટનાની તસવીરો વાયરલ થઇ રહી છે.
પૂજાનાં પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. તેને લાગતું હતું કે તેના લગ્ન ક્યારેય નહીં થાય. આ વાતની જાણકારી જ્યારે પાડોશમાં રહેનાર એક મુસ્લિમ પરિવારને થઇ, તો તેમણે તેના લગ્ન ધામધૂમથી કરાવ્યા. પોતાના ઘરમાં જ મંડપ બંધાવ્યો. મુસ્લિમ મહિલાઓએ મંગળ ગીત ગયા. ત્યાર બાદ સવારે પોતાના જ ઘરેથી તેને વિદાય આપી.
બે વર્ષ પહેલા થયું હતું પિતાનું મૃત્યુ
આઝમગઢ શહેરનાં એલવલમાં રહેતા રાજેશ ચોરસિયા પાનની દુકાન લગાવીને પોતાનું અને પોતાના પરિવારનું ભારણ પોષણ કરતા હતા. ત્યાર બાદ ચોરસિયાએ પોતાની ભાણેજ પૂજાનાં લગ્ન કરવાનું નક્કી કર્યું.
તેણે પૂજાનાં લગ્ન પણ નક્કી કરી દીધા હતા, પરંતુ તકલીફ એ હતી કે રાજેશ પાસે રહેવા માટે માત્ર ઘર સિવાય કંઈ જ હતું નહીં. એટલું જ નહીં, તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી, જેથી પૂજાનાં લગ્ન તેઓ ન કરાવી શક્યા.
મુસ્લિમનાં ઘરમાં મંડપ
રાજેશ ચોરસિયા પૂજાનાં લગ્નનાં સંઘર્ષમાં લાગ્યા હતા. આ દરમિયાન તેમણે પાડોશમાં રહેતા પરવેઝ પાસે લગ્ન માટે મંડપ લગાવવાની વાત કરી. આ સંભાળતા જ પરવેઝ મદદ માટે આગળ આવ્યા. પરવેઝનાં ઘરના આંગણામાં માત્ર મંડપ જ ન બંધાયો, પણ મંગળ ગીત પણ ગવાયા.
ત્યાર બાદ 22 એપ્રિલનાં રોજ જોનપુર જીલ્લાના મલ્હનીથી જાન આંગણે પહોંચી, તો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સાત ફેરા અને સિંદૂરદાનનાં રીવાજો થયા હતા.
સોનાની ચેન પહેરાવીને પુરા કરાવ્યા લગ્ન
સવારે વિદાય થતા પહેલા ખીચડી રિવાજ શરુ થયો અને રાજેશે પોતાની ક્ષમતા અનુસાર, વરને વિદાય આપી. આ રિવાજ દરમિયાન પાડોશી પરવેઝે વરના ગળામાં સોનાની ચેન પહેરાવી, જેથી ત્યાના હાજર લોકોએ ખૂબ જ વખાણ કર્યા.
પરવેઝની પત્ની નાદિરાએ જણાવ્યું કે રમઝાનનાં મહિનામાં તેમણે પોતાના ઘરે પૂજા પાઠ કરાવ્યા. તેનો કોઈ અફસોસ નથી, પણ ખુશી છે કે અમે એક દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે ધર્મ બધાનો અલગ અલગ ભલે હોય, પણ તેમણે માણસાઈ નિભાવી છે.