ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતનું નિવેદન આવ્યું હતું જેમાંઅ તેણે કહ્યું હતું કે આજે સવારે 11 વાગ્યે મોટું પ્રદર્શન થશે. નોંધનીય છે કે પહેલા જ કાલે આખો દિવસ હરિયાણા અને પંજાબના રસ્તે પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમઆ અમુક જગ્યાએ વોટર કેનનનો ઉપયોગ કરાયો હતો અને દિલ્હી પોલીસે 720 ખેડૂતોની અટકાયત કર્યાના અહેવાલ હતા.
હરિયાણા બોર્ડર પર ટકરાવ
ખેડૂતો સામે વોટર કેનનનો ઉપયોગ
દિલ્હી પોલીસે 720 ખેડૂતો ની કરી અટકાયત
દિલ્હી પોલીસે 720 ખેડૂતોની અટકાયત કરી છે. આ ખેડૂત નેતાઓ વિવિધ સંગઠનો સાથે દિલ્હીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. પકડાયેલા મોટાભાગના ખેડુતો હરિયાણા અને પંજાબના છે. દિલ્હી વહીવટીતંત્ર દ્વારા પિકિટિંગ માટે જગ્યાના અભાવે ખેડૂત નેતાઓએ રાજઘાટ પર ધરણા કરવાનું નક્કી કર્યું છે. યુનાઇટેડ કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રવક્તા અભિમન્યુ કોહરે આ માહિતી આપી હતી.
Haryana: Farmers heading towards Delhi as part of 'Delhi Chalo' protest march, halt at Panipat toll plaza.
A protestor says, “Are we terrorists that we are not being allowed to enter the national capital. It is the death of democracy.” pic.twitter.com/sYnM6Ffk8l
કોહાડે કહ્યું કે હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના 720 ખેડૂતો ને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે. તેમાંના મોટા ભાગના પંજાબ અને હરિયાણાના ખેડૂત નેતાઓ પણ છે. દિલ્હીના રાજઘાટ તરફ મજનુ કા ટીલા ગુરુદ્વાર તરફ કૂચ કરતા તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ તમામ ખેડૂતો ને સ્પોર્ટસ સંકુલમાં રાખવામાં આવ્યા છે.
તેમ છતાં આ ખેડૂત આગેવાનો રાજઘાટ પર અનિશ્ચિત હડતાલ કરવા માટે અડગ છે. કોહાડે કહ્યું હતું કે તેમના અહિંસક આંદોલન માટે સંયુક્ત કિસાન મોરચા દિલ્હીમાં ખેડૂતો માટે જગ્યાની માંગ કરી રહ્યું છે. પરંતુ આજ સુધી તેમને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. તેથી, તેઓએ રાજઘાટ પર જ ધરણાં કરવાનું નક્કી કર્યું છે.
किसानों से समर्थन मूल्य छीनने वाले कानून के विरोध में किसान की आवाज सुनने की बजाय भाजपा सरकार उन पर भारी ठंड में पानी की बौछार मारती है।
તેમણે દાવો કર્યો હતો કે શુક્રવાર સુધીમાં 25 હજારથી વધુ ખેડૂતો દિલ્હી પહોંચશે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી સરહદની ખૂબ નજીક પહોંચી ગયા છે. તેમના કહેવા મુજબ, દિલ્હી કૂચ પ્રોગ્રામ અંતર્ગત, જગજીતસિંહ દાલેવાલ, બલબીરસિંહ રાજેવાલ અને જોગીન્દર સિંહ ઉગ્રહાન સહિતના અન્ય ખેડૂત નેતાઓની આગેવાની હેઠળ, પંજાબના હજારો ખેડૂતો એ પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાર સ્થળોએથી પોલીસ અવરોધ પાર કર્યો છે.
જ્યારે હરિયાણાથી દસ હજારથી વધુ ખેડૂતો ગુરનમસિંહ ચડુનીના નેતૃત્વમાં ઘરૌંડા પાર થઈને દિલ્હી નજીક પહોંચી ગયા છે. નોંધનીય છે કે આ મુદ્દે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સૂરજેવાલાએ પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
"पोस्टकार्ड की अगली कड़ी" 👇👇
वॉटर केनन की बौछारें, इनसे कब हम हारे,
ये तो बस है फुहारें, फौलादी है इरादे हमारे,
रोक न पाएंगी मोदी-खट्टर सरकारें।
सुन लो खट्टर! सुन लो चौटाला!
नही मानेंगे कानून काला।
ખેડૂતો ને કસ્ટડીમાં રાખવા માટે દિલ્હી પોલીસે હરિનગર સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવી દીધી છે અને તમામ ખેડુતોને ત્યાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દિલ્હીમાં પ્રવેશ કરશે અને તેમની માંગણીઓ પૂરી કરવા કોઈપણ બલિદાન આપવા તૈયાર છે.
નોંધનીય છે કે આ પહેલા સોનિપત અને હલદાના બોર્ડર પર પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો, જો કે અહીં ખેડૂતો આવી પહોંચતા વોટર કેનનનો ઉપયોગ કરીને તેમણે પાછળ હટાવાયા હતા, જો કે હરિયાણામાં એક જગ્યાએ પથ્થરમારો થયા હોવાના અહેવાલો વચ્ચે ઘણા ખેડૂતો એ આજે પાનીપતમાં રોકાવાનું નક્કી કર્યું હતું. પરંતુ ખેડૂતો નો જુસ્સો જોતાં હાલ આ આંદોલન મોટું રૂપ ધારણ કરે તેવુ લાગી રહ્યું છે.