WHOએ કહ્યું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોરોના વાયરસથી મરાનારા લોકોની સંખ્યા બહું ઓછી દર્શાવવામાં આવી રહી છે.
ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોત થયાનું અનુમાન
મૃતકના 18 લાખના સત્તાવાર આંકડાથી બે ગણા વધારે મોત
મોત સત્તાવાર આંકડાથી 12 લાખ વધારે છે
ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોત થયાનું અનુમાન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારે કહ્યુ કે 2020માં દુનિયાભરમાં કોરોનાના ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોત થયાનું અનુમાન છે. જે મૃતકના 18 લાખના સત્તાવાર આંકડાથી બે ગણી વધારે છે. સંગઠને કહ્યું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોરોના વાયરસથી મરાનારા લોકોની સંખ્યા બહું ઓછી દર્શાવવામાં આવી રહી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સાંખ્યિકી રિપોર્ટમાં કહ્યુ કે ...
ડબ્લ્યૂએચઓએ પોતાની વિશ્વ સ્વાસ્થ્ય સાંખ્યિકી રિપોર્ટમાં કહ્યુ કે 31 ડિસેમ્બર 2020 સુધી દુનિયાભરમાં 8 કરોડ 20 લાખથી વધારે લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હતા. અને 18 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા હતા.
મોત સત્તાવાર આંકડાથી 12 લાખ વધારે છે
શરુઆતના અનુમાન અનુસાર 2020માં કોવિડના પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રુપથી ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોત થયા છે. જે દેશો દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જણાવવામાં આવેલા સત્તાવાર આંકડાથી 12 લાખ વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોનાથી મરનારાની તાજી સંખ્યા 33 લાખ દર્શાવવામાં આવી છે. 2020 માટે લગાવવામાં આવેલા અનુમાનના હિસાબે જોઈએ તો કોરોનાથી પ્રત્યક્ષ અથા પરોક્ષ રુપથી થયેલા મોતની સંખ્યા ઓછી દર્શાવવામાં આવી છે.