કેન્દ્રની મોદી સરકારે ભ્રષ્ટાચારના ગંભીર આરોપસર સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર આલોક વર્માની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા ફસાયા
આલોક વર્મા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
મોદી સરકારે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો
રાકેશ અસ્થાના સાથે પણ થઈ ચૂક્યો છે વિવાદ
સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે અને તેથી કાર્મિક વિભાગ અને ગૃહ મંત્રાલયે તેમની સામે સામે કાર્યવાહીની ભલામણ કરી દીધી છે. આ બન્ને મંત્રાલયે યુપીએસસીને આલોક વર્માની સામે હોદ્દાના દુરપયોગ અંગે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
આલોક વર્માની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
મીડિયા રિપોર્ટ અનુસાર, આલોક વર્માની સામે હોદ્દા પર રહેતી વખતે નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. કેન્દ્ર સરકારે વર્માની સામેના ભ્રષ્ટાચારના ગંભીર આરોપની નોંધ લીધી છે અને દાવો કર્યો કે તેમણે સીબીઆઈ ડિરેક્ટર પદે રહીને હોદ્દાનો દુરપયોગ કર્યો. સરકારે પર વર્મા પર પેનલ્ટી લગાડવાની પણ ભલામણ કરી છે. જો સરકારની ભલામણો માની લેવામાં આવે તો તેને કારણે આલોક વર્માની પેન્શન અને નિવૃતી બાદ મળનાર સુવિધાઓ પર અસર પડી શકે છે.
2018 રાકેશ અસ્થાનાએ આલોક વર્મા પર લાંચનો ગંભીર આરોપ લગાવ્યો હતો
2018 માં સીબીઆઈના તત્કાલિન સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ આલોક વર્મા પર લાંચનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સીબીઆઈએ એક કેસમાં ભીનું સંકેલી લેવા માટે રાકેશ અસ્થાનીની સામે 2 કરોડની લાંચ લેવાનો કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ અસ્થાનાએ ઘણા કેસોમાં આલોક વર્માની સામે લાંચના આરોપ લગાવ્યા હતા.