ભારતીય થલ સેનાથી તો કોઈ અજાણ હોય તેવુ ભાગ્યે જ બને. ભારતીય સશસ્ત્ર દળની સૌથી મોટી પાંખ થલસેના એ ઇન્ડિય આર્મીના નામે ઓળખાય છે. અમેરિકા રશિયા અને ચીન બાદ વિશ્વની સૌથી મોટી થલ સેના એટલે ઇન્ડિયન આર્મી. ભારત પાસે વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક આર્મી છે. શું છે ભારતીય સેનાની રસપ્રદ ખાસિયત જોઈએ આ અહેવાલમાં.
પહેલી એપ્રીલ 1895ના રોજ સ્થપાયેલી ભારતીય સેનાનો ઇતિહાસ 123 વર્ષ જુનો છે. અંદાજિત 12 લાખ સક્રિય અને 9 લાખ અનામત સૈનિકો ધરાવતી ભારતીય સેના પોતાના 150 જેટલા વિમાનો પણ ધરાવે છે. ભારતીય સેનાનું આદર્શ સુત્ર છે સ્વયંની પહેલા સેવા. એટલે જ દેશની સેવા માટે ભારતીય સેના સદૈવ ઉપસ્થિત હોય છે. ભારતીય સેનાની કામગીરીની વાત કરીએ તો. જાણીને ગર્વ થશે કે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ મેદાન એટલે કે દરિયાઇ સપાટીથી 5 હજાર મીટર ઉપર આવેલા સિયાચિન પર ભારતીય સેનાનો કબ્જો છે.
આ ઉપરાંત દુનિયાના સૌથી ઊંચા બેલી પુલ બનાવવાનું ગર્વ પણ ભારતીય સેનાએ પ્રાપ્ત કર્યુ છે. ભારતીય સેના પાસે વિશ્વની સૌથી મોટી ઘોડેસવારોની રેજિમેન્ટ છે. ભારતીય સેનાના સંયમનું સૌથુ મોટુ સબુત એ છે કે આપણી સેનાએ કોઈ પણ દેશ પર સામેથી આક્રમણ નથી કર્યું. તેમજ પાકિસ્તાન જેવા દેશોની જેમ સત્તા પલ્ટો કરીને દેશને બાનમાં લેવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો જે સેનામાં રહેલા શિસ્તની પ્રતિતિ કરાવે છે.
ભારતીય સેનાની કેડરની જો વાત કરવામાં આવે તો. સિપાહી લાન્સ નાઇક નાઇક અને હવલદાર સુધીની કેડર કર્મચારી કક્ષાની કેડર હોય છે. ત્યાર બાદ નાયબ સુબેદાર સુબેદાર અને સુબેદાર મેજર એ જુનિયર ઓફિસર કક્ષાની કેડર હોય છે. ત્યારબાદ અધિકારી કક્ષાની કેડર ચાલુ થાય છે જે ચડતા ક્રમમાં આ પ્રમાણે છે.. લેફ્ટન્ટ કેપ્ટન મેજર લેફ્ટનન્ટ કર્નલ કર્નલ બ્રિગેડીયર મેજર જનરલ લેફ્ટન્ટ જનરલ જનરલ અને ફિલ્ડ માર્શલ.. જોકે ફિલ્ડ માર્શલની નિમણૂંક કાયમી નથી હોતી. મોટા ભાગે યુદ્ધના સમયમાં તેમણી નિમણૂંક થાય છે અને તેઓ સેનાનો દોર સંભાળે છે. જ્યારે અન્ય સમયમાં જનરલ આર્મીના ચીફ હોય છે.
દુશ્મન દેશમાં ઘુસીને વાર કરનાર ભારતીય સેનાના જવાનોને 36 વર્ષની ઉમરમાં નિવૃતિ આપવામાં આવે છે. કારણ કે દુશ્મનોના અડ્ડાઓ પર ઘુસીને દુશ્મનોના સફાયો કરવાનો હોય છે. એટલે જ જવાનોની ફિટનેસ અને તેની ઉમરનું ધ્યાન રાખવામાં આવે છે. જોકે આ દેશનો જવાન જીવન પર્યત જવાન એટલે કે યંગ જ રહે છે.