#WATCH | The Indian Navy marine commandos display skills at the gateway of India in Mumbai as part of Navy Day celebrations. pic.twitter.com/IqTOuY4zV2
નેવી ડેની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, નેવી કમાન્ડ્સે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ગુરુવારે સમારંભની બરાબર પહેલા રિહર્સલ કર્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવેલ રિહર્સલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મરીન કમાન્ડરોએ હેલિકોપ્ટર દ્વારા પોતાનું કૌશલ્ય બતાવ્યું.
આ વિડીયોમાં નૌસેનાની પ્રીમિયર મરીન કમાન્ડો યૂનિટની તરફથી એક અભ્યાસને દેખાડવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આકાશમાં ચારેય બાજુ લાલ રંગ છવાયો છે. અને તેની વચ્ચે એક હેલિકોપ્ટર ગેટવે ઓફ ઈન્ડિયાની પાછળથી ધીમે ધીમે આકાશ તરફ ઉડી રહ્યું હતું. હેલિકોપ્ટર પર દોરડાની મદદથી બે-બેની સંખ્યામાં છ જવાનો લટક્યાં હતાં. અને દોરડા પર તિરંગો લહેરાતો હતો. હેલિકોપ્ટર ધીમે ધીમે ઉપરની બાજુએ ઉડે છે. અને આ દ્વશ્યને દેખવા માટે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હોય છે. તમને જણાવી દઈએ કે, નૌસેના દિવસ સમારોહ પહેલા ગુરુવારે મુંબઈમાં કંમાન્ડોએ બીટિંગ રિટ્રીટ સમારોહ માટે પૂર્વઅભ્યાસ કર્યો હતો. ભારતીય નૌસેનાની ઉપ્લબ્ધિઓને સેલિબ્રેટ કરવા માટે નૌસેના દિવસ મનાવવામાં આવે છે.
દર વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસ ઉજવાય છે
જણાવી દઈએ કે, નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના બહાદુરોને યાદ કરવામાં આવે છે. નેવીડે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના જશ્નના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન નેવીની વેબસાઈટના અનુસાર, બ્રિટિશ શાસન દરમિયાન રોયલ ઈન્ડિયન નેવીએ પહેલીવાર 21 ઓક્ટોબર 1944ના રોજ નૌસેના દિવસ મનાવવામાં આવ્યો હતો. આનો ઉદ્દેશ્ય લોકોને નૌસેના વિશે જાગરૂકતા ફેલાવવા માટેનો હતો. લોકોની પ્રતિક્રિયાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ દિવસ દર વર્ષે મનાવવામાં આવ્યો હતો. બાદમાં 4 ડિસેમ્બરે નૌસેના દિવસ મનાવા લાગ્યો. 1 થી 7 ડિસેમ્બરે નૌસેના સપ્તાહના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે. જે દરમિયાન જુદા-જુદા કાર્યક્રમો યોજીત કરવામાં આવે છે.