વિશ્વ આરોગ્ય સંગઠને એક નવી ચેતવણી જારી કરતા જણાવ્યું કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી, જરા સરખી બેદરકારી પણ ભારે પડી શકે છે.
વિશ્વ આરોગ્ય સંગઠનની નવી ચેતવણી
મહામારી હજુ પૂરી થઈ નથી
દર અઠવાડિયે 70 હજાર લોકોના મરણ થઈ રહ્યાં છે
કોવિડની ગતિ ભલે ધીમી પડી હોય, પરંતુ હજુ ખતરો ટળ્યો નથી. થોડી બેદરકારી મુશ્કેલી સર્જી શકે છે. WHOએ હવે નવી ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે મહામારી હજુ પુરી થઈ નથી. કોરોના સંક્રમણને કારણે દર અઠવાડિયે સમગ્ર વિશ્વમાં લગભગ 70 હજાર લોકોના મરણ થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં, જોખમ લેવાનું મુશ્કેલ હોઈ શકે છે.
મહામારી હજુ સમાપ્ત થઈ નથી
WHOએ જણાવ્યું કે મહામારી હજુ સમાપ્ત થઈ નથી. કારણ કે આફ્રિકાના 83 ટકા દેશોને હજુ પણ કોરોનાની રસી આપવામાં આવી નથી. તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટ ધીમું પડી ગયું છે, પરંતુ હજી સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. WHOના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં વિશ્વભરમાં કોવિડના નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, 7 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે, વિશ્વભરમાં 16 મિલિયનથી વધુ કેસ અને 75,000 મૃત્યુ નોંધાયા હતા.
2022 સુધીમાં બધુ સારું થઈ જશે
WHO વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે મને લાગે છે કે હાલની પરિસ્થિતિ જોતા 2022ના અંત સુધીમાં બધુ નોર્મલ થઈ શકે છે. જોકે સાવચેતી ન રાખવી એ મૂર્ખામી હશે. આશા છે કે 2022ના અંત સુધીમાં અમે ખૂબ જ સારી સ્થિતિમાં આવી જઈશું. કોઈપણ વેરિઅન્ટ ગમે ત્યાંથી આવે છે અને અમે ત્યાં પાછા આવીએ છીએ. તેથી તમારે સાવચેત રહેવું પડશે.કોરોના મહામારી સામે લડત આપ્યાને 2 વર્ષ થયા છે. દુનિયાભરના લોકો હવે તેનાથી છુટકારો મેળવવા માંગે છે. તેમાં વૈજ્ઞાનિકો પણ સામેલ છે. તેમના માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ છે અને કેટલીક આશાઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને એક ઇન્ટરવ્યૂમાં કોવિડ સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપી છે. તેમાં તેમણે કોરોનાની ઉત્પત્તિ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી, તે ક્યારે ખતમ થશે અને શું સાવધાની રાખવી. સૌમ્યાએ આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2022ના અંત સુધીમાં આપણે ઘણી સારી સ્થિતિમાં આવી શકીએ છીએ.
શું છે ડેલ્ટાક્રેન
ડેલ્ટાક્રેનને ઓમિક્રોન અને ડેલ્ટાના હાઇબ્રિડ વેરિઅન્ટ તરીકે ગણવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દી જ્યારે ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિએન્ટ પ્રભાવિત થાય છે, ત્યારે તેને ડેલ્ટાક્રોન વેરિઅન્ટથી સંક્રમિત ગણી શકાય છે. આ વેરિએન્ટ પર યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના સાપ્તાહિક વેરિએન્ટ સર્વેલન્સ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવા વેરિએન્ટ સાથે જોડાયેલા રોગોની ગંભીરતા અને વેક્સીનની અસરની જાણકારી મળી શકી નથી.
ડેલ્ટાક્રેનને ચિંતાજનક વેરિયન્ટની કેટેગરીમાં મૂકાયો
ડેલ્ટાક્રેનને ચિંતાજનક વેરિયન્ટની કેટેગરીમાં મૂકાયો છે. યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિઆના ચેપી રોગના નિષ્ણાત પ્રોફેસર પોલ હન્ટરે દલીલ કરી હતી કે યુકેમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિઅન્ટ સામે રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધુ મજબૂત અને વધુ સારું બન્યું છે. બંને વેરિએન્ટના કેસ પણ ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં, સૈદ્ધાંતિક રીતે, નવા વેરિએન્ટનું ટ્રાન્સમિશન સરળ નહીં હોય.