ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કૃષિ વિભાગ પર કટાક્ષ કરતા કહ્યું કે જે વિભાગમાં 18 મંત્રી હોય તેના આવા જ હાલ થશે.
કૃષિ સાથે જોડાયેલા 18 વિભાગોને એકસાથે સાંકળવા જરુરી
તેનાથી ખેડૂતોનું ભલુ થશે
કૃષિ કાયદાથી ખેડૂતોનું કંઈ ભલું થવાનું નથી.
ટિકેતે કહ્યું કે ખેડૂત અને ખેતી બન્નેને બચાવવા કૃષિ સાથે જોડાયેલા 18 વિભાગોને એકસાથે સાંકળવા જરુરી છે. તેનાથી ખેડૂતોનું ભલુ થશે. સરકારે ખેતી સાથે જોડાયેલા અલગ અલગ વિભાગોને ભેગા કરીને એક વિભાગ એગ્રિકલ્ચરલ કેબિનેટ બનાવવું પડશે.
ટિકેતે કહ્યું કે કૃષિ કાયદાથી ખેડૂતોનું કંઈ ભલું થવાનું નથી. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનને નબળું પાડવા તખેડૂતોને હરિયાણા, પંજાબ અને યુપીમાં જાતિભેદને આધારે વિભાજીત કરવાનો પ્રયાસ કરવવામાં આવશે પરંતુ બધા ખેડૂતો એકજૂથ છે.
રાકેશ ટિકૈતે 18 ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલનની રણનીતિને લઈને મોડી રાતે નિવેદન આપ્યું છે. તેમાં તેઓએ કહયું કે આ દિવસે રેલ રોકો આંદોલન 12થી 4 સુધી ચાલશે, આ સાથે ખેડૂતો રેલને રસ્તામાં રોકશે નહીં. તેને સ્ટેશન પર જ રોકવામાં આવશે.
આંદોલનમાં ખેડૂતોની સમસ્યા જણાવાશે
કિસાન એન્જિન પર ફૂલ ચઢાવશે અને રેલ રોકો આંદોલન કરશે. આ સમયે યાત્રીઓને ચા નાસ્તો પણ કરાવાશે. આ સમયે યાત્રીઓને દેશમાં વધી રહેલી મોંઘવારી અને અન્નદાતાઓની સમસ્યાથી માહિતગાર કરાશે. ખેડૂત સરકારને એ સંદેશ આપશે કે આ આંદોલન દેશમાં ફેલાઈ ચૂક્યું છે.
રાકેશ ટિકૈત આ સ્થળે ધરણા કરશે
રાકેશ ટિકૈતે કહ્યું છે કે તેઓ યૂપી ગેટ પર જે ખેડૂતો ધરણા કરી રહ્યા છે ત્યાં રહેશે. પોતાના ગામથી ખેડૂતો નજીકના રેલ્વે સ્ટેશન પહોંચીને રેલ રોકશે. આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરાશે. પહેલા રેલના એન્જિન પર ફૂલ માળા ચઢાવાશે.