આપણા બધાના ઘરમાં ઘણી વખત ઘરમાં કંકાશ લડાઇ-ઝઘડા થતા રહે છે. તેનુ કારણ આરણા ઘરમાં જ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ એવી ઘણી વાતો છે જે ઘરની સુખ-શાંતિને ભંગ કરે છે. આવો જાણીએ તે વાતો કઇ છે.
કયારેય પણ ઘરમાં ટૂટેલા વાસણ રાખવા નહીં. શાસ્ત્રો પ્રમાણે જો આ પ્રકારના વાસણ ઘરમાં હોય તો લક્ષ્મીજી રિસાઇ જાય છે અને ગરીબી ઘરમાં આવે છે.
ઘરના મુખ્ય દરવાજા પાસે પાણીનું માટલુ રાખવું અશુભ હોય છે. તેનાથી સુખ-શાંતિ ઘરની બહાર ચાલી જાય છે. માનવામાં આવે છે કે તિજોરીમાં કોઇપણ વિવાદથી સંબંધિત પેપર રાખવા નહીં. તિજોરીમાં વિવાદિત પેપર રાખવાથી વિવાદ જલદી પૂરો થતો નથી અને ગરીબી વધે છે.
આ ઉપરાંત કેલેન્ડરને ક્યારેય પણ દરવાજાની આગળ કે પાછળ લટકાવવું નહી. આમ કરવાથી ઘરના સભ્યોનું આયુષ્ય ઘટે છે અને હંમેશા ઘરમાં બીમારી રહે છે.