પંજાબના રંજીત સાગર ડેમમાં 3 ઓગસ્ટે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમા 2 પાયલોટના મોત થયા હતા. જોકે 2 પૈકી એક પાયલોટનો મૃતદેહ આજે 76 દિવસ બાદ મળી આવ્યો છે.
76 દિવસ બાદ મળ્યો પાયલોટનો મૃતદેહ
3 ઓગસ્ટે રંજીત સાગર ડેમમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
પાયલોટના મૃતદેહને ટૂંક સમયમાં તેના પરિવારને સોંપવામાં આવશે
પંજાબનાના રણજીત સાગર ડેમમાં 3 ઓગસ્ટના રોજ વાયુસેનાનું એક પ્લેન ક્રેશ થયું હતું, જેમા 2 પાયલલટ સવૈાર હતા પરંતુ એકજ પાયલોટનો મૃતદેહ મળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સેના બીજા પાયલોટનો મૃતદેહ શોઘી રહી હતી. ત્યારે આજે બપોરે 2 વાગે તે પાયલટના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે.
મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે
વધારે સમય બાદ મૃતદેહ મળ્યા બાદ મૃતદેહ પૂરી રીતે કહોવાઈ ગયેલો. તેને તુરંત પઠાનકોટના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાથેજ ટૂંક સમયમાં તેમના મૃતદેહને તેમના પરિવારને હવે સોંપવામાં આવશે.
3 ઓગસ્ટે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
આપને જણાવી દઈએ કે 3 ઓગસ્ટના રોજ સવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ રણજીત સાગર ડેમમાં ક્રેશ થયું હતું, જેમા બંને પાયલોટના મૃતદેહને શોધવામાં આવ્યા પરંતુ એક પાયવલટ જયંત જોશીનો મૃતદેહ મળી ન્હોતો રહ્યો . જેથી સેના દ્વારા છેલ્લા 76 દિવસથી તેમના મૃતદેહનો શોધવામાં આવી રહ્યો હતો જે આજે 17 ઓક્ટોબરે 76 દિવસ બાદ મળ્યો.
76 દિવસ બાદ મળ્યો પાયલટનો મૃતદેહ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે રક્ષા મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 3 ઓગસ્ટે રંજીત રાગર ડેમમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમા પાયલટ કેપ્ટન જયંત જોશી પણ હતા જેમનો મૃતદેહ 76 દિવસ બાદ મળી આવ્યો છે. સેનાએ તેમના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્યાથી તેમના પરિવારને તેમનો મૃતદેહ સોપવામાં આવશે.