ક્રિકેટ વર્લ્ડ કપ અને દિવાળીના કારણે અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ શરૂ થઇ ગઇ છે તેવામાં આમિરની એક ઍડ લોકોના નિશાના પર આવી છે.
દિવાળી પર ફટાકડા ન ફોડવાની ઍડ
BJP નેતાએ ટાયર કંપનીને લખ્યો પત્ર
આમિરને ગણાવ્યો હિન્દુ વિરોધી નેતા
ફટાકડા ફોડવાની ઍડ
આમિર ખાનની ફટાકડા ન ફોડવાની ઍડ પણ ખુબ વાયરલ થઇ રહી છે. આમિરે આ ઍડ તો કરી લીધી પરંતુ હવે તે ટ્રોલિંગનો શિકાર થઇ રહ્યો છે. સાથે જ કર્ણાટકના BJP સાંસદ અનંતકુમાર હેગડેએ પણ તેના વિરોધમાં એક પત્ર લખ્યો છે.
હિંદુઓમાં અશાંતિની કહી વાત
અનંતકુમારે રસ્તા પર ફટાકડા ન ફોડવાની બાબતને લઇને ટાયર કંપનાની પ્રમુખને પત્ર લખ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કંપની હિંદુઓની ભાવનાનું સન્માન કરશે અને તેમની લાગણી નહી દુભાવે. આ પ્રકારની ઍડ હિંદુઓમાં અશાંતિ પેદા કરે છે, કંપનીના CEO અનંત ગોયન્કાને 14 ઓક્ટોબરે આ ઍડને લઇને આપત્તિ જતાવી હતી. સોશ્યલ મીડિયા પર પણ આમિર ખુબ ટ્રોલ થઇ રહ્યો છે.
રસ્તા પર નમાઝનો પણ કરો વિરોધ
આ પત્રમાં હેગડેએ લખ્યું છે કે કંપનીએ નમાઝના નામે રસ્તા પર અઝાન વગાડીને ધ્વનિ પ્રદૂષણની સમસ્યાનું પણ સમાધાન કરવું જોઇએ.
આમિર હિન્દુ વિરોધી એક્ટર
વધુમાં તેમણે કહ્યું કે, હિન્દુ વિરોધી અભિનેતાઓનું એક સમૂહ હિન્દુ લાગણીઓને દુભાવે છે. તેઓ ક્યારેય પોતાના સમુદાયના ખોટા કામોને ઉજાગર કરવાનો પ્રયત્ન નહી કરે. આ ઍડમાં આમિર ખાન લોકોને સારો સંદેશ આપીને રસ્તા પર ફટાકડા ન ફોડવા સલાહ આપે છે. જાહેર મુદ્દાઓ માટે તમારી ચિંતાને સલામ જરૂર છે. આ સંદર્ભે, હું તમને વિનંતી કરું છું કે રસ્તામાં લોકોને આવતી અન્ય સમસ્યાનો ઉકેલ લાવો. મુસ્લિમોને શુક્રવાર અને અન્ય મહત્વના તહેવારના દિવસોમાં નમાઝના નામે રસ્તાઓ બંધ ન કરવા માટે કહો. ઘણા ભારતીય શહેરોમાં આ એક ખૂબ જ સામાન્ય દૃશ્ય છે, જ્યાં મુસ્લિમો વ્યસ્ત રસ્તાઓ બંધ કરે છે અને પ્રાર્થના કરે છે અને તે સમયે, વાહનો, એમ્બ્યુલન્સ અને લાયબંબા ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે, જેનાથી ગંભીર નુકસાન થાય છે. આપણા દેશમાં, દરરોજ અઝાન વખતે, મસ્જિદોની ઉપર માઈકમાંથી મોટો અવાજ આવે છે. શુક્રવારે, મસ્જિદોમાં પ્રાર્થનાઓ લાંબી હોય છે.