કોરોના વાયરસથી થઇ રહેલા મૃત્યુના કારણે મન મગજ પર અસર થઇ રહી છે.
કોરોનામાં લોકો અપનાવી રહ્યાં છે ઉપાય
વૃદ્ધોએ કહ્યું આ છે જૂનો ઉપાય
મહામારીને ભગાવવા માટે ઉપચાર
બધા જ લોકો આ બિમારીને હરાવવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય અજમાવી રહ્યાં છે. મહામારી વચ્ચે લોકો ટોટકા પણ અપનાવી રહ્યાં છે. મધ્યપ્રદેશ સિવાય માલવાથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોરોનાથી બચવા માટે મશાલ દોડનુ આયોજન કરી રહ્યાં છે. રાતે અંધારામાં ભાગ કોરોના ભાગના નારા લગાવી રહ્યાં છે. ગ્રામીણોનું માનવુ છે કે આવુ કરવાથી કોરોનાથી બચી જવાશે.
ગામના યુવાનોનું કહેવુ છે કે, વૃદ્ધો કહે છે કે જ્યારે પણ કોઇ બીમારી આવે છે ત્યારે તેનુ નામ લઇને રવિવાર ને બુધવારની રાત્રે દરેક ઘરમાંથી એક વ્યક્તિ પોતાના ઘરમાંથી મશાલ લઇને ગામની બહાર સુધી દોડે છે અને ગામની બહાર ફેંકી દેવામાં આવે છે. આવુ કરવાથી તેમના ગામ પરથી મહામારીનો પ્રકોપ હટી જાય છે. માટે કોરોનાથી બચવા લોકો આવુ કરી રહ્યાં છે.
વૃદ્ધો દ્વારા મળી જાણકારી બાદ રવીવારે ગ્રામ ગણેશપુરાના ગ્રામીણ એક સાથે 11 વાગે રાત્રે પોતાના ઘરોમાંથી બળતી મશાલો લઇને ભાગ કોરોના ભાગના નારા સાથે ગામ બહાર ગયા હતા અને ગામ બહાર હવામાં મશાલો નાંખી દીધી હતી.
ગ્રામીણોનું કહેવુ છે કે તેમના ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તાવથી લોકો પીડિત છે પરંતુ જ્યારથી આ ઉપાય અ્જમાવ્યો છે ત્યારથી બીમારી સામે આવી નથી.
કોરોનાના લક્ષણો બદલાયા છે
2020માં કોરોનાની શરૂઆત થઇ ત્યારે તેના લક્ષણ શરદી, ખાંસી, તાવ વગેરે હતા પરંતુ હવે નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે. જેનાથી તમને ખબર પડશે કે તમને કોરોના થયો છે કે નહી અને તપાસ કરાવવી જોઇએ કે નહી.
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો.
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.
ભૂખ ન લાગવી અને મેન્ટલ હેલ્થ પર અસર
પહેલા કોરોનાના પોસ્ટ લક્ષણમાં જોવા મળતુ હતુ પરંતુ હવે મુખ્ય લક્ષણમાં આવી ગયુ છે કે કોરોનાના પેશન્ટને સામાન્ય રીતે મેન્ટલ હેલ્થ પર અસર થઇ જાય છે. સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને માણસ શારીરિક અને માનસિક રૂપથી કમજોર થઇ જાય છે.