આળસ જ્યારે માણસના ઘરમાં પ્રવેશી જાય છે ત્યારે બધુ ફના થઇ જાય છે. માણસને આળશ વગર કઇ સુઝતુનુ નથી. માણસની પ્રગતિનો માર્ગ બંધ થઈ જાય છે.
આળસ શરીરને નબળું કરે છે અને સાથે જ વ્યક્તિને નકારાત્મકતા તરફ લઈ જાય છે. આ સ્થિતીમાંથી બહાર આવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય દર્શાવામાં આવ્યા છે.
જ્યોતિષ શાસ્ત્રની મદદથી તમે તમારા જીવનને નિરાશા અને આળસથી મુક્ત કરી શકો છો. આ ઉપાયો તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે. તો ચાલો જાણીએ કયા છે આ ઉપાયો.
આળસને બાય-બાય કહેવા રોજ સ્નાન કરી અને સ્વચ્છ કપડા પહેરી લેવા. ઘરમાંથી ઝાડૂ કર્યા પછી ઘરની બહાર જવું અને ડાબા હાથ તરફ ઝાડૂને ત્રણવાર જોરથી ઝાટકવું.
આ ઉપરાંત સ્નાન કર્યા પછી કપડા પણ ઝાપટી અને પહેરવા. કપડાને ધોવા માટે તેને રાત્રે પલાળી ન રાખવા. કપડા ધોવાની થોડીવાર પહેલા જ તેને પલાળવા. ઘરમાં ક્યારેય પણ સાફ-સફાઈ કર્યા વિના સૂવું નહીં બેડ હંમેશા ચોખ્ખો રાખવો.
અઠવાડિયામાં એકવાર બેડની સફાઈ બરાબર રીતે કરવી અને રોજ બેડશીટ બદલી દેવી. ક્યારેય વાસી ભોજન આરોગવું નહીં. વાસી ખોરાક ખાવાથી પણ આળસ વધે છે. ઘરની સફાઈનું પણ વિશેષ ધ્યાન આપવું.