અમદાવાદમાં ભગવના જગન્નાથની રથયાત્રા નિકળશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવાયો નથી ત્યારે ભાણેજોને લાવવા સરસપુરમાં તૈયારી કરવામાં આવી રહી છે.
રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી
ભગવાન જગન્નાથની રથયાત્રા લઈ હજું અસમંજસ
રાજ્યમાં કોરોના સ્થિતિમાં સુધારા બાદ સમીક્ષા કરાશે
અમદાવાદમાં ભગવના જગન્નાથની રથયાત્રા નિકળશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવાયો નથી પરતું અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અષાઢી બીજના દિવસે મોસાળ પક્ષે ભાણેજોને લાવવામાં આવે છે જેને લઈને મોસાળવાસીઓ કામે લાગી ગયા છે ભાણેજોને લાવવા સરસપુરમાં તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીના રજવાડી વાઘા અને ઘરેણાં માટે ઓર્ડર આપી દેવાયા છે. જેઠસુદ પૂનમના દિવસે જળયાત્રા નિકળવાની છે જે બાદ રથયાત્રાની નિકળતી હોય છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા લઈ હજું અસમંજસ
આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈ અંસમંજસ જોવા મળી રહ્યું છે ગયા વર્ષે મહામારીને કારણે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ હતી..રથયાત્રા કાઢવા મામલે છેલ્લે સુધી સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ બાદમાં હાઇકોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાઈ હતી છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રા નિકળશે કે નહિ એ કહી શકાય નહી તેને લઈને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
કોરોના સ્થિતિની સમીક્ષા બાદ સરકાર દ્વારા લેવાશે નિર્ણય
હવે જ્યારે 24 જૂને થનારી જળયાત્રા યોજાવાની છે તે અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી.કોરોના મહામારીને વચ્ચે આ વખતે પણ રથયાત્રા યોજાશે કે નહી તે અંગે આવનાર દિવસોમાં સ્થિતિની સમીક્ષા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હાલ તો કોરોનાની સ્થિતિમાં થોડા ઘણા અંશે સુધારો જોવા મળી રહ્યો છે હવે આવનાર દિવસોમાં કેવી સ્થિતિ રહે છે તે હવે જોવું રહ્યું?