કોરોના વાયરસના સંક્રમણે ફરી એકવાર દુનિયાભરમાં પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. ઝડપથી વધી રહેલા સંક્રમણને લઈને WHOએ કહ્યું છે કે સંક્રમણથી બચવા માટે વેક્સીન એકમાત્ર ઉપાય છે. એક્સપર્ટનું માનવું છે કે કોરોના વેક્સીન વિકસિત થયા બાદ પણ ચેલેન્જ કાયમ રહેશે. ભારત સહિત દુનિયાભરમાં ગરીબ અને વિકાસશીલ દેશોમાં તેને પહોંચાડવું સરકાર માટે ચેલેન્જ સમાન રહેશે.
કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સીન એકમાત્ર ઉપાય
વેક્સીન બન્યા બાદ પણ નહીં ઘટે મુશ્કેલી
દેશ અને દુનિયાભરના દરેક દેશોમાં પહોંચાડવું સરકાર માટે ચેલેન્જ
દુનિયાભરમાં બની રહેલી કોરોના વેક્સીનને સુરક્ષિત રાખવા માટે નોન સ્ટોપ રિફ્રિજરેશનની જરૂર રહેશે. સાથે ફેક્ટ્રીથી નીકળેલી વેક્સીનને સીરિંજ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું સરકાર માટે સરળ નહીં રહે. દુનિયાની 7.8 અરબમાંથી 3 અરબ આબાદી એવી જગ્યાએ છે જ્યાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી. એવામાં વેક્સીન બન્યા બાદ તેમને સુરક્ષિત રાખવાનું મોટી ચેલેન્જ છે.
ઠંડી આવવાથી કોરોનાની અન્ય એક લહેર આવવાની પણ શક્યતા
કોરોના ખતમ કરવા માટે તૈયાર કરવામાં આવી રહેલી કોલ્ડ ચેન બનાવવાનું અમીર દેશો માટે પણ સરળ નથી. ખાસ કરીને વેક્સીન માટે 70 ડિગ્રી સેલ્સિયસના અલ્ટ્રાકોલ્ડ સ્ટોરેજની જરૂર રહેશે. ઠંડી આવવાથી કોરોનાની અન્ય એક લહેર આવવાની પણ શક્યતા છે. આ સમયે તેને રાખવાની વ્યવસ્થા પણ એક સમસ્યા બની શકે છે.
વેક્સીન માટે -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર
એક્સપર્ટનું કહેવું છે કે કોરોના વેક્સીનને રાખવા માટે -70 ડિગ્રી તાપમાનની જરૂર છે. અમેરિકા અને યૂરોપ જેવા દેશોમાં આ સુવિધાની અછત છે. એક્સપર્ટ્સ માને છે કે આ કેસમાં પશ્ચિમી આફ્રિકાના દેશોની સ્થિતિ સારી છે. 2014માં જ્યારે ઈબોલા સંક્રમણ ફેલાયું ત્યારે પશ્ચિમી આફ્રિકાના દેશોએ વેક્સીન માટે બી અલ્ટ્રાકોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા શરૂ કરી હતી. આ કારણ છે કે આ દેશોમાં વેક્સીનના સ્ટોરેજની વ્યવસ્થા મળી રહી છે.