મધ્યપ્રદેશ સરકારે વૃદ્ધો માટે એક અદ્દભૂત યોજનાની જાહેરાત કરી છે.
વૃદ્ધો માટે મધ્યપ્રદેશ સરકારની અદ્દભુત યોજના
18 એપ્રિલથી વૃદ્ધોને વિમાન દ્વારા કરાવશે તીર્થયાત્રા
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણની જાહેરાત
મધ્યપ્રદેશ સરકારે દેશમાં પહેલી વાર વૃદ્ધોને વિમાનમાં તીર્થયાત્રાએ લઈ જવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશમાં વૃદ્ધો માટે સરકારે એક મોટી યોજનાની જાહેરાત કરી છે. પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એવું જણાવ્યું કે રાજ્ય સરકાર 18 એપ્રિલથી મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના શરુ કરશે. અમે વૃદ્ધોને વિમાન દ્વારા દૂરદૂરના તીર્થોની યાત્રાએ લઈ જવા માટેની વ્યવસ્થા કરીશું.
Madhya Pradesh | 'Mukhyamantri Tirth Darshan Yojana' will be started again from 18th April. We'll look into the arrangement of 'Tirth Yatra' for destinations far away for the elderly through flights: CM Shivraj Singh Chouhan in Pachmarhi pic.twitter.com/4APg2fQRQ7
હિંદીમાં મેડિકલ કોર્ષ શરુ કરાશે
સીએમ ચૌહાણે એવું પણ જણાવ્યું કે અમે હિંદીમાં મેડિકલ કોર્ષ માટેનું શિક્ષણ આપવાનું શરુ કરીશું. આને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને લાભ મળશે. અમે નિર્ણય કર્યો છે કે પોલીસ ભરતીમાં 50 ટકા પ્રાયોરિટી તાકાતવર ઉમેદવારોને આપવામાં આવશે સાથે લેખિત પરીક્ષા પણ લેવાશે.
We'll start imparting education for Medical courses in Hindi. It will benefit students from the poorer and middle classes background. We have decided that for police recruitment 50% weightage would be given to physical strength of the candidate along with written exam: MP CM pic.twitter.com/eCn9QZWKKH
પંચમઢીમાં આ જાહેરાત કરતા સીએમ ચૌહાણે કહ્યું કે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના નવેસરથી 21 એપ્રિલથી શરુ કરવામાં આવશે. 2મેથી લાડકી લક્ષ્મી યોજના પણ શરુ કરવામાં આવશે.