લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણામાં ઠાકોર સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઠાકોર સમાજે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. ઠાકોર સમાજ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે.
લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણામાં ઠાકોર સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઠાકોર સમાજે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. ઠાકોર સમાજ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં કરણીસેનાના મહિલા પાંખના કાર્યક્રતાઓ પણ હાજર રહ્યા હતા. તેઓએ પણ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો.
તેમજ ઠાકોર સમાજની બેઠકમાં ઉંઝા વિધાનસભાને લઈને પણ જાહેરાત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી કરનાર ઠાકોર અગ્રણી ફોર્મ પરત લેશે. મહત્વનું છે કે, મહેસાણા લોકસભા વિસ્તારમાં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે. ત્યારે ઠાકોર સમાજે કોંગ્રેસને ટેકો જાહેર કરતા ભાજપની મુશ્કેલી વધી છે.
જો કે એ.જે.પટેલ સામે ભાજપ દ્વારા શારદાબેન પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લો પાટીદારોનો ગઢ છે. ત્યારે અહીં પાટીદાર વર્સીસ પાટીદારનો જંગ જામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના મામલે ભાજપની જેમ કોંગ્રેસમાં પણ વિખવાદ જોવા મળ્યો હતો. અગાઉ ચૂંટણીને લઈને ઠાકોર સેનાએ ચીમકી આપી હતી. જેમાં ઠાકોર સેના દ્વારા જો ઠાકોર ઉમેદવારને ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી હતી.