કેએલ રાહુલે સીમિત ઑવરમાં કરેલા શાનદાર ફોર્મને કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં તે જગ્યા બનાવવા માટે સફળ થઇ શકે છે. જોકે ટીમનું સિલેક્શન રવિવારે કરવામાં આવશે. સિલેક્ટર્સ વનડે ટીમનું સિલેક્શન કરતા પહેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ પર ધ્યાન આપશે.
ઓસ્ટ્રેલિયાની બીજી વનડેનું પરફોર્મન્સ જોયા પછી કેએલ રાહુલને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જગ્યા મળી શકે છે
ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને ઠીક થવાની જોઇ રહ્યુ છે રાહ
રાહુલ ટી૨૦ અને વનડેમાં નિયમિત રૂપથી રમી રહ્યો છે પરંતુ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પછી તે ટેસ્ટ ટીમમાંથી બહાર થઇ ગયો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ જોકે કહ્યુ કે, રાહુલ જેવા ખેલાડીઓને કોઇ પણ રીતે ટીમની બહાર રાખવું મુશ્કેલ છે અને એવામાં ફરીથી પૃથ્વી શૉ અને શુભમન ગિલની સરખામણીએ તેની પસંદગી થવી વધારે સંભવ છે.
કુલદીપ યાદવના રૂપમાં ત્રીજો સ્પિનર રાખવાની જગ્યા સતત ફોર્મમાં રહેલા ફાસ્ટ બૉલર નવદીપ સૈનીને ટેસ્ટ ટીમમાં રાખી શકાય છે કેમકે ન્યૂઝીલેન્ડમાં રવિચંદ્રન અશ્વિન અથવા તો રવિન્દ્ર જાડેજામાંથી કોઇ પણ એક પ્લેઇંગ ૧૧ માં જગ્યા મળી શકે છે. આ જ રીતે મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને બૉલિંગ કરવા માટે ફિટ થાય તે માટે રાહ જોઇ રહ્યુ છે જો તે ફિટ થઇ જાય તો વનડેમાં તેનું સિલેક્શન થવુ નક્કી છે.
હાર્દિક પંડ્યા ટેસ્ટમાં બૉલિંગને લઇને અસફળ રહ્યો હતો જે પછી તેના નિજી ટ્રેનર એસ રજનીકાંતેે તેણે ભારત એ ના પ્રવાસથી દૂર રહેવાની સલાહ આપી. જો હાર્દિક ફિટ નહી થાય તો સિલેક્ટર્સ સૂર્યકુમાર યાદવને શૉટ રમવાની તક આપી શકે છે.
વનડે માટે અંજ્કિય રહાણેના નામ પર પણ વિચાર કરવામાં આવી શકે છે, તેણે કેદાર જાદવની જગ્યાએ પસંદ કરવામાં આવી શકે છે. BCCI ના નજીકના સૂત્રોનુસાર, કેદાર નિશ્ચિત રીતે ૨૦૨૩ વર્લ્ડકપમાં નહી રમે અને હવે તે બૉલિંગ પણ નથી કરી શકતો. આ સિવાય તે ટી૨૦ ટીમમાં પણ નથી, આજ કારણથી તેણે ન્યૂઝીલેન્ડ લઇ જવાનો કોઇ મતલબ નથી. સૂર્ય અને રહાણેને જો ચાન્સ આપવામાં આવે તેવી સંભાવના લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સિલેક્ટર્સે ન્યૂઝીલેન્ડ માટે પંસદ કરેલી ટી૨૦ની ટીમ: