ધાર 370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ વચ્ચે ઘાટીમાં સામાન્ય જનજીવન થઇ જતાં આતંકીઓએ લોકોને ધમકી આપી છે. આતંકીઓએ સ્થાનિક લોકો અને દુકાનદારોને ધમકી આપી છે. હિઝબૂલે લોકોને દુકાન ન ખોલવા ધમકી આપી છે.
કાશ્મીરમાં જનજીવન સામાન્ય થતાં બોખલાયા આતંકવાદીઓ
કાશ્મીરમાં આંતકવાદીઓએ કાશ્મીરીઓને આપી ધમકી
પાકિસ્તાનના મનસૂબા પાર ન પડતા અપનાવ્યો નવો રસ્તો
આ સાથે ટેક્સી ડ્રાઇવરોને ટેક્સી નહી ચલાવવા પણ ધમકી આપી છે. આ સિવાય સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આતંકીઓએ એક દુકાનદારની ગોળી મારી હત્યા કરી દીધી હતી.
આતંકી સંગઠન હિઝબુલના નામથી જારી પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દુકાનદાર પોતાની દુકાન ન ખોલે અને ઘાટીમાં બજાર બંધ રહેવું જોઇએ. આ સાથે વાહન ચાલકોને પણ એમ કહી ધમકી આપી છે કે ઘાટીમાં ચાલતા વાહનોના નંબર આતંકીઓ પાસે છે અને એવામાં તેઓ પોતાના ઘરની બહાર ન નીકળે.
આતંકીઓએ વાહનચાલકોના વાહન સળગાવી નાંખવાની ચેતવણી પણ આપી છે. જ્યારે સ્કૂલોને લઇને પણ આતંકીઓએ ચેતવણી બહાર પાડી છે. જમ્મૂ-કાશ્મીર જનજીવન સામાન્ય જોવા મળતાં ઘાટીમાં આતંકીઓ બોખલાયા ગયા છે.
પાકિસ્તાનના મનસૂબા પાર ન પડતા ધમકી આપવાનો રસ્તો અપનાવ્યો છે. આતંકવાદીઓ કાશ્મીરના લોકો તેમજ વેપારીઓને ધમકી આપી છે. જ્યારે ટેક્ષીચાલકોને ટેક્ષી નહી ચલાવવા માટે પણ ધમકી આપવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરમાં હિઝબુલના આતંકવાદીઓના નામથી ધમકી ભર્યો પત્ર મળ્યો છે.