ગુપ્ત સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે લશ્કરના 20થી 25 આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરી ચુક્યા છે. આ આતંકીઓ 26/11 જેવી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ આતંકીઓના નિશાના પર દેશના મોટા શહેરો છે. તમામ એરપોર્ટ અને મોટા રેલવે સ્ટેશનને હાઇ અલર્ટ કરી દેવાયા છે.
એરપોર્ટ વિદેશી યાત્રીઓ વાળી જગ્યાઓ મોલ હોટલ ભીડભાડવાળી જગ્યાઓ જેવા કે રેલવે સ્ટેશનો પર આતંકી હુમલો કરી શકે છે. તો સાથે જ પાકિસ્તાની સીમાથી જોડાયેલા રાજ્યોની પોલીસને સુરક્ષા વધારવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી તમામ સુરક્ષાબળોને હાઇ અલર્ટ પર રહેવા કહ્યું છે.