#Terrorists hurled a #grenade towards Police Naka at Padshahi Bagh area of #Anantnag, resulting in minor injuries to one police personnel. Case registered. Area cordoned off, search going on.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 15, 2022
અનંતનાગમાં આતંકીઓએ CRPFના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો
જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ CRPFના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં એક સુરક્ષા જવાન ઘાયલ થયો છે. હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.જમ્મુ-કશ્મીર પોલીસના જણાવ્યા મુજબ અનંતનાગ જિલ્લાના પાદશાહી બાગ વિસ્તારમાં આતંકવાદીઓએ CRPFના વાહન પર ગ્રેનેડ ફેંકતાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. જોકે, થોડી જ વારમાં સુરક્ષાકર્મીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
તમને જણાવી દઈએ કે, હાઈબ્રિડ આતંકીઓ જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ માટે નવો પડકાર બનીને સામે આવ્યા છે. છેલ્લા બે મહિનામાં ઘાટીના જુદા-જુદા ભાગોમાંથી એક ડઝનથી વધુ હાઈબ્રીડ આતંકાવાદીની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર કશ્મીરમાં હાઈબ્રીડ આતંકવાદી દ્વારા ટાર્ગેટ કિલિંગના 2 મહિનામાં 6 બનાવોને અંજામ આપવામાં આવ્યો હતો.
અગાઉ લશ્કરના બે આતંકવાદીઓ માર્યા ગયા
આ પહેલા શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં, લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી એક તાજેતરમાં એક બેંક મેનેજરની હત્યામાં સામેલ હતો. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના કાંજીયુલરમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ શરૂ થઈ હતી.