ગુજરાત ગ્રાહક સુરક્ષા ફોરમે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટેલીકોમ કંપનીને નુકશાન પેટે 50 હજારનો દંડ 7 ટકા વ્યાજ સાથે ગ્રાહકને ચુકવવા આદેશ કરાયો છે.
ગ્રાહક સુરક્ષા ફોરમનો ચુકાદો
ટેલીકોમ કંપનીને 50 હજારનો દંડ ફટકાર્યો
મોબાઇન નંબર બ્લોક થતાં કરી હતી ફરિયાદ
કંપનીએ એક ગ્રાહકનો મોબાઇલ નંબર બ્લોક કર્યા બાદ બંધ કરી દીધો હતો. ત્યારબાદ વગર રજિસ્ટ્રેશને પોતાના નંબરનો ઉપયોગ ટેલીમાર્કેટિંગ માટે કરવામાં આવ્યો. જેને લઇને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ગ્રાહક સુરક્ષાએ કંપનીની તમામ દલીલોને ફગાવી દીધી છે. સાથે જ કહ્યું છે કે તે વ્યક્તિનો નંબર બ્લોક કરતા તેને આર્થિક નુકસાન થયું.
અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અનુસાર, આ કેસ વર્ષ 2014નો છે. સુરતના રહેવાસી નિર્મલ કુમાર મિસ્ત્રીને વોડાફોનથી એક મેસેજ આવ્યો કે તેઓ પોતાના નંબરનો ઉપયોગ ટેલી માર્કેટિંગ માટે કરી રહ્યા છે. જોકે કંપનીએ તેના નંબરને બ્લોક કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મેસેજમાં કહેવામાં આવ્યું કે તેમને કંપનીના સ્ટોરથી એક નવું સિમ કાર્ડ મોકલી દેવામાં આવશે.
વોડાફોનને મોકલી લીગલ નોટિસ
ત્યારબાદ નિર્મલે વોડાફોનને એક લીગલ નોટિસ મોકલી દીધી. જેના જવાબમાં કંપનીએ કહ્યું કે, તેમના આ નંબરથી ટેલી માર્કેટિંગથી જોડાયેલ મેસેજની ફરિયાદ મળી હતી. પરંતુ વોડાફોનના આ આરોપોને સાબિત કરવા માટે માત્ર એક નંબર મોકલ્યો. જે અંગે કહેવામાં આવ્યું કે આ નંબર પર ટેલીમાર્કેટિંગનો મેસેજ મોકલાયા. મિસ્ત્રીએ બાદમાં ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સુરતની ઓફિસનો સંપર્ક કર્યો.
ધંધામાં થયું નુકસાન
મિસ્ત્રીએ આયોગને પોતાની ફરિયાદમાં કહ્યું કે તેઓ સોફ્ટવેર ડેવલોપર છે અને તેમનો નંબર કોઈ યોગ્ય કારણ વગર બ્લોક કરી દેવામાં આવ્યો. તેમણે કહ્યું કે, જેને લઇને તેમના ધંધાને સાડા ત્રણ લાખનું નુકસાન થયું. પરંતુ આયોગે તેમની આ દલીલો માની નહીં. કંપનીએ આયોગને કહ્યું કે તેમના નંબરનો ઉપયોગ ટેલીમાર્કેટિંગ માટે કરવામાં આવ્યો.
નિર્ણયને આપ્યો પડકાર
મિસ્ત્રીએ ત્યારબાદ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ જવાનો નિર્ણય કર્યો. તેમણે અહીં પોતાના વકીલ મિલન દુધિયા દ્વારા પોતાની વાત રાખી. વકીલે કહ્યું કે ટ્રાઈના નિયમ અનુસાર કોઈનો નંબર બ્લોક કરવા માટે તે વ્યક્તિની ફરીયાદ પણ જરૂરી છે, જેમને ટેલીમાર્કેટિંગથી જોડાયેલા મેસેજ મોકલવામાં આવ્યા. પરંતુ અહીં વોડાફોનની પાસે એવી કોઈ દલીલ નહોતી. જોકે આયોગે મિસ્ત્રીની દલીલોને યોગ્ય માનતા તેમને 7 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કર્યો. નુકશાન પેટે 50 હજારનો દંડ 7 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કરાયો.