તેલંગણાના કરીમનગરમાં એક ગધેડાની ચોરીના આરોપમાં એક કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે તેની પુષ્ટિ કરી છે.
કોંગ્રેસ નેતા પર ગધેડા ચોરીનો આરોપ
પોલીસે ધરપકડ કરી
વિરોધ પ્રદર્શનમાં કર્યો હતો ઉપયોગ
તેલંગણાના કરીમનગરમાં એક ગધેડાની ચોરીના આરોપમાં એક કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે તેની પુષ્ટિ કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ નેતા પર એજ ગધેડો ચોરવાનો આરોપ લગાવ્યો છે, જેનો ઉપયોગ તેણે હાલમાં જ કેસીઆરનો વિરોધ કરવા માટે પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, તેલંગણા એનએસયુઆઈના અધ્યક્ષ વેંકટ બાલમૂરના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના જન્મદિવસ પર એક ગધેડા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ તેમને પોલીસ ધરપકડમાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા વિરુદ્ધ શુક્રવારે કરીમનગરના જમ્મીકુંટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં અન્ય છ લોકોના નામ પણ શામેલ છે, જે હાલમાં ફરાર છે.
સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
પોલીસના જણાવ્યા અનુસાર જમ્મીકુંટા નિવાસી તંગુટૂરી રાજકુમારે સાત લોકો વિરુદ્ધ તેમનો ગધેડો ચોરાયો હાવોની ફરિયાદ નોંધાવી હતી. તેમના પર ગેરકાયદેસર રીતે જમા થવા, દંગા કરવા અને ચોરી કરવા ઉપરાંત જાનવરો પ્રત્યે ક્રૂરતા દેખાડવાના ઈરાદાથી ફરિયાદ નોંધવામાં આવી છે. FIR માં કલમ 143, 153, 504, 379ની સાથે 149, આઈટી અધિનિયમની ધારા 67 અને પશુક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની ધારા 11 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.