મેચમાં 7 વિકેટ લેનાર કાઈલ જેમીસન બન્યા પ્લેયર ઓફ ધ મેચ
ન્યૂઝીલેન્ડમાં ભારતના હરાવીને આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી છે. સાઉથમપ્ટનનાના બાઉલ મેદાન પર રમાયેલી ડબ્લ્યૂટીસી ફાઈનલમાં કીવી ટીમે કોહલી એન્ડ કંપનીને 8 વિકેટથી હરાવી દીધી. આ હારની સાથે ભારત માટે પાછલા 8 વર્ષથી ચાલી રહેલો આઈસીસી ટ્રોફી જીતવાનો ઈંતજાર વધારે લાંબો થઈ ગયો. ટીમ ઈન્ડિયાની નજર હવે આગામી ટી 20 વર્લ્ડ કપ જીતવાનો છે.
ભારતીય ટીમની બીજી ઈનિંગ રિઝર્વ ડેમાં 170 રન પર ઢેર થઈ ગઈ. કાઈલ જેમીસનએ કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાને રમત પહેલા જ કલાકમાં આઉટ કરી ભારતને મોટો ઝાટકો આપ્યો. વિકેટ કીપર ઋષભ પંતે 41 રન બનાવ્યા. 139 રનનું લક્ષ્ય લઈને મેદાનમાં ઉપરેલી કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસનના નોટ આઉટ 52 અને રોસ ટેલરના નોટ આઉટ 47 રન પર સરળતાથી જીત મેળવી લીધી.
ભારતે છેલ્લી વખત આઈસીસી ટ્રોફી વર્ષ 2013માં જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઈન્ગ્લેન્ડમાં હોસ્ટ ટીમને માત આપીને આ ઉપલબ્ધિ હાસેલ કરી હતી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હાર બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી Vs મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે.
વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને આ ત્રણ મોટી ટૂર્નામોન્ટ મળી
કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પહેલી વખત વર્ષ 2017માં ચેમ્પિયંસ ટ્રોફીના ફાઈનલમાં પાકિસ્તાન સામે હાર્યું. ત્યાર બાદ વર્ષ 2019 વર્લ્ડ કપમાં ભારતને સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે માત આપી હતી.
ધોનીની કેપ્ટનશીપમાં 4માંથી 3 ફાઈનલ જીત્યા
ભારત અત્યાર સુધી કુલ 10 આઈસીસીની મોટી ટૂર્નામોન્ટના ફાઈનલમાં પહોંચ્યું છે. ધોનીની કેપ્ટનશીયમાં ટીમ ઈન્ડિયાએ 4 ફાઈનલમાંથી 3 જીતી છે જ્યારે અન્ય કેપ્ટનોની આગેવાનીમાં ભારતને 6 ફાઈનલમાંથી ફક્ત એકમાં જ જીત હાસલ થઈ હતી.