BCCIએ ઝિમ્બામ્વ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે અને શિખર ધવનને કેપ્ટન્સી સોંપી છે.
BCCIએ ઝિમ્બામ્વે સામે ટીમ ઈન્ડીયાની કરી જાહેરાત
શિખર ધવનને સોંપાઈ કેપ્ટન્સી
ઝિમ્બામ્વે સામે ટીમ ઈન્ડીયા રમશે ત્રણ વનડે
ટીમ ઈન્ડીયા ઝિમ્બામ્વે સામે 3 વનડે રમવાની છે અને તે પહેલા BCCIએ ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે. શિખર ધવનને કેપ્ટન બનાવાયો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને આરામ અપાયો છે તેને બદલે નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. દીપક ચાહરની ઘણા લાંબા સમય બાદ એન્ટ્રી થઈ છે.
ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલનો સમાવેશ
ઝિમ્બામ્વે સામેની વનડે ટીમમાં ગુજરાતના નડિયાદના ક્રિકેટર અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી, રોહિત શર્માને આરામ
વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ જે ટીમને આરામ આપવામાં આવ્યો છે તેમાં સામેલ નથી. ખાસ વાત એ છે કે ફાસ્ટ બોલર દીપક ચહરની પણ લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે.