સાયરસ મિસ્ત્રી પર નેશનલ કંપની લૉ અપીલેંટ ટ્રાઈબ્યૂનલ ( NCLAT )ના આદેશની વિરુદ્ધમાં ટાટ સન્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. પહેલાં NCLATનો નિર્ણય ટાટા સન્સના પક્ષમાં આવ્યો હતો પણ ત્યારબાદ સાયરસ નિર્ણયની વિરુદ્ધમાં NCLATમાં અપીલ કરી. 18 ડિસેમ્બરે NCLATએ સાયરસ મિસ્ત્રીના પક્ષમાં નિર્ણય આપતાં તેમને ફરીથી અધ્યક્ષ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
NCLATના આદેશની વિરુદ્ધમાં ટાટા સન્સે સુપ્રીમમાં કરી અપીલ
Tata Sons moves Supreme Court against the National Company Law Appellate Tribunal (NCLAT) order that directed reinstatement of Cyrus Mistry as Executive Chairman of Tata Sons. pic.twitter.com/TiLIF7DzHt
ન્યાયમૂર્તિ એસ.જે. મુખોપાધ્યાયની અધ્યક્ષતામાં NCLATની 2 સભ્યોની ખંડપીઠે નિર્ણયમાં કહ્યું કે મિસ્ત્રીની વિરુદ્ધમાં રતન ટાટાએ ઉઠાવેલા પગલાં હેરાન કરનારા હતા. પીઠે નવા ચેરમેનની નિયુક્તિનો વિરોધ કર્યો. અદાલતે કહ્યું કે ટાટા સન્સના પબ્લિક કંપનીને પર્સનલ બનાવવાના નિર્ણયને પણ ગેરકાયદેસર ગણાવ્યો છે, તેને બદલવાનો આદેશ આપ્યો છે. આ આદેશ 4 અઠવાડિયામાં 4 અઠવાડિયામાં લાગૂ થશે. ટાટા સમૂહની પાસે તેને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જનો પણ વિકલ્પ છે. સાયરસ મિસ્ત્રીએ આ નિર્ણય પર કહ્યું હતું કે આજનો નિર્ણય મારી વ્યક્તિગત જીત નથી. પણ આ સારા પ્રશાસન અને અલ્પાંશ શેરધારકોના અધિકારની જીત છે. તેનાથી મારી કામગીરી સાબિત થાય છે.
ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા ઈરસ મિસ્ત્રી
સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન છે અને તેમને આ પદ પરથી ઓક્ટોબર 2016માં હટાવી દેવામાં આવ્યા હતા. રતન ટાટા બાદ તેમને 2012માં ચેરમેન પદ સંભાળ્યું હતું. સમૂહના 150 વર્ષના ઈતિહાસમાં મિસ્ત્રી ચેરમેન બનનારા ટાટા પરિવારની બહારના બીજા વ્યક્તિ હતા.
સાયરસ મિસ્ત્રી પરિવારે કર્યો હતો વિરોધ
સપ્ટેમ્બર 2017માં ટાટા સન્સે પબ્લિકથી પ્રાઈવેટ કંપની બનાવવાને માટે શેરધારકોને મંજૂરી આપી હતી. ત્યારબાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીએ ટાટા સન્સને પર્સનલ કંપનીની રીતે રાખી હતી. સાયરસ મિસ્ત્રી પરિવારની વિરોધમાં હતા. કેમકે પર્સનલ કંપની હોવાથી તેઓ પોતાના શેર બહારના લોકોને વેચી શકતા નથી, ટાટાને જ વેચવા પડશે. પબ્લિક લિમિટેડ કંપનીના શેરધારક કોઈને પણ પોતાની ભાગીદારી વેચી શકે છે.