જુલાઈના બીજા કે ત્રીજા અઠવાડિયાથી તેના પર કામ શરૂ કરવામાં આવશે
તે માટે વેક્સિનના 30થી 32 કરોડ ડોઝની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે સરકાર
દેશમાં કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે સરકાર વેક્સિનેશન અભિયાનને ઝડપી બનાવવાના બને તેટલા પ્રયત્નો કરી રહી છે. ભારતમાં હાલ બે રસીઓ લોકોને આપવામાં આવે છે કોવિશીલ્ડ અને કોવેક્સિન. આ ઉપરાંત જૂનના બીજા અઠવાડિયા બાદ રશિયાની સ્પૂતનીક-વી રસી પણ ભારતમાં આપવામાં આવશે જે સિંગલ ડોઝ રસી છે. આ ઉપરાંત ભારતમાં વિદેશ રસીઓ જેવી કે ફાઈઝર અને જોનસન એન્ડ જોનસનની રસી પણ આપવામાં આવશે છે.
દરરોજ હવે 1 કરોડ લોકોને વેક્સિન આપવાની સરકારની યોજના
ભારતમાં 16 જૂને શરૂ થયેલા વેક્સિનેશન બાદ લોકોને આપવામાં આવેલા કુલ ડોઝમાં લગભગ 90 ટકા લોકોને કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક ઉચ્ચ સૂત્રએ જણાવ્યું છે કે સરકાર દરરોજ હવે 1 કરોડ લોકોને વેક્સિન આપવાની યોજના બનાવી રહી છે.
કઈ રીતે લાવવામાં આવશે આટલી બધી વેક્સિન?
આ યોજના હેઠળ વેક્સિનના 30થી 32 કરોડ ડોઝની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યોજના અનુસાર કોવિશીલ્ડ અને કોવેક્સિનના 25 કરોડ ડોઝ દર મહિને ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 5થી 7 કરોડ બીજી વેક્સિનની ઉપબ્લધ કરાવવામાં આવશે. જેમાં Biological E, સીરમની Novavax, Genova mRNA, Zydus Cadilla DNA વેક્સિન, સ્પૂતનિક વીનો પણ સમાવેશ થાય છે.
કોવિશીલ્ડનો સિંગલ ડોઝ જ રાખવા અંગે થઈ રહી છે ચર્ચા
આવનાર સમયમાં કોવિશીલ્ડનો સિંગલ ડોઝ જ રાખવા અંગે ચર્ચા ચાલી રહી છે. એવું સંશોધન કરવામાં આવી રહ્યું છે કે શું સિંગલ ડોઝ જ વાયરસ સામે લડવામાં પ્રભાવીત છે? જોનસન એન્ડ જોનસન, સ્પૂતનિક લાઈટ અને કોવિશિલ્ડ એક જ પ્રકારના પ્રોસેસથી બની છે. જોનસન એન્ડ જોનસન અને સ્પૂતનિક લાઈટ સિંગલ ડોઝ વેક્સિન જ છે.