ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે ત્યાં તમિલનાડુમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.
ભારતમાં ફરી વધ્યા કોરોના કેસ
તમિલનાડુમાં 31 માર્ચ સુધી લોકડાઉન
તંત્રને કડક થઈ જવા આદેશ
કોરોના વાયરસના સંકટના કારણે તમિલનાડુમાં 31 માર્ચ સુધી લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે. રવિવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે તંત્રને આદેશ આપવામાં આવ્યા છે કે કોરોના સામે લડવામાં જે તે નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવે.
ચૂંટણી પહેલા કોરોના વકર્યો
Lockdown in Tamil Nadu extended till March 31; the district administration shall take all necessary measures to promote #COVID19 appropriate behaviour and ensure wearing of face masks, hand hygiene and social distancing pic.twitter.com/OF6uZ6UySM
રાજ્યમાં હવે ચૂંટણી થવા જઈ રહી છે અને તેમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 479 કેસ સામે આવ્યા છે અને 3ના મોત થાય છે. રાજ્યમાં સંક્રમિત કેસની કુલ સંખ્યા 8.51 લાખ થઈ ગઈ છે.
આદેશ જાહેર
તમિલનાડુમાં જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી લોકડાઉન લંબાવવામાં આવે છે. આ સિવાય સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે તથા દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કોરોના વાયરસ સામે કન્ટેનમેન્ટ ઝોનમાં સતર્કતા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. જાહેર જગ્યાઓ પર વારંવાર સેનેટાઈઝ કરવાની સાથે સાથે થર્મલ સ્કેનિંગને લઈને પણ સતર્કતા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ ફરી ઊંચકી રહ્યો છે માથું
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા થોડા દિવસથી ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસની નવી લહેરની શક્યતાને જોતાં વિવિધ રાજ્ય સરકારોને સતર્ક થઈ જવાના આદેશ કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યા છે.