મનોરંજન ઉદ્યોગ માટે 2020નું વર્ષ સારુ નીવડ્યુ નથી. આજે સવારે જ તમિળ એક્ટર ઇંદ્ર કુમારે આત્મહત્યા કરી લીધી છે.
સંદીપ નાહર બાદ વધુ એક આત્મહત્યા
તામિળ એક્ટર ઇંદ્ર કુમારે કરી આત્મહત્યા
મિત્રના ઘરે જઇને ટૂંકાવ્યુ જીવન
2020માં ઘણા સેલેબ્સ આ ફાની દુનિયાને અલવિદા કહીને જતા રહ્યાં છે. સુશાંત સિંહ રાજપુત સાથે કામ કરી ચૂકેલ સંદીપ નાહરે થોડા દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે આજે સવારે જ ઇંદ્ર કુમારે પોતાના મિત્રના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
રિપોર્ટ્સ અનુસાર ઇંદ્ર કુમાર સવારે તેના મિત્રને મળવા તેના ઘરે ગયા હતા અને સવારે તે મૃત દેખાયા હતા. એક્ટરના મિત્રને જ્યારે આ વિશે ખબર પડી કે તેણે તરત જ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે મામલો નોંધીને તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દીધી છે.
ઇંદ્ર કુમારના મિત્રએ આપેલી જાણકારી અનુસાર બુધવારની સાંજે પોતાના મિત્રો સાથે એક્ટર ફિલ્મ જોવા ગયા હતા. તે બાદ તે મિત્રના ઘરે એકલો જ હતો અને મિત્રએ સવારે દરવાજો ખખડાવ્યો ત્યારે તેણે ખોલ્યો નહી અને જ્યારે તેના મિત્રએ દરવાજો તોડ્યો તો તે ફાંસીથી લટકતો હતો.
એક્ટરે કેમ આત્મહત્યા કરી તે પાછળનું કોઇ પ્રાથમિક કારણે સામે આવ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે અને તમને જણાવી દઇએ કે એક્ટર પરણિત હતો અને તેને એક બાળક પણ છે.
સુશાંત સાથે કામ કરી ચૂકેલ એક્ટર સંદીપ નાહરે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે સુસાઇડ પહેલા ફેસબૂક પર એક લાંબો વીડિયો શૅર કર્યો હતો અને સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં લખ્યુ હતુ કે તે આત્મહત્યા કરીને મરી જશે. સાથે જ એક્ટરે તે લખ્યું હતુ કે તેની આત્મહત્યા માટે પરિવાર જવાબદાર નથી. સુસાઇડ નોટમાં તે વાત પણ કહી હતી કે પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઇફમાં તે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.