તાઇવાનમાં આજે મોટી દુર્ઘટના થઈ છે જેમા 46 લોકો એક 13 માળની ઈમારતમાં લાગેલી આગમાં જીવતા સળગી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. સમાચાર આવ્યા બાદ આખા દેશમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
તાઇવાનમાં મોટી હોનારત
ઈમારતમાં લાગી આગ, 46 લોકોના જીવ ગયા
આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ
46 જીવન હોમાઈ ગયા, હજુ કેટલાય ઈજાગ્રસ્ત
તાઇવાનમાં ગુરુવારે 13 માળની ઈમારતમાં આગ લાગવાના કારણે 46 લોકો જીવતા ભૂંજાઇ ગયા હોવાના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભીષણ આગ બાદ આટલા લોકોના મોતનાં સમાચારથી આખા તાઇવાનમાં શોકની લહેર પ્રસરી ગઈ છે અને આગ લાગવાને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ આગ લાગવા પાછળ કોઈની બેદરકારી જવાબદાર છે.
Breaking News: At least 46 people died in a building fire in Taiwan. The structure housed low-income and older residents, and had deteriorated in recent years. https://t.co/TzfutHCeBu
વિસ્ફોટ થયો હોવાનો સ્થાનિક લોકોનો દાવો
કાઉશુંગ શહેરમાં વહેલી સવારે ઈમારતમાં આગ લાગી હતી જોકે હજુ સુધી તંત્ર તપાસ નથી કરી શક્યું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ શું હોય શકે. ઘટનાસ્થળની આસપાસનાં લોકોએ દાવો કર્યો છે કે આગ લાગ્યા પહેલા વિસ્ફોટનો અવાજ આવ્યો હતો.
At least 46 people have died in a 13-story building fire in Kaohsiung, Taiwan.
The cause remains unclear but firefighters noted the flames burned most intensely where a lot of clutter was piled, and eyewitnesses say they heard an explosion around 3am pic.twitter.com/vsQSeB1Oor
40 વર્ષ જૂની ઈમારતમાં લાગી ક્યાંથી?
અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે કારણ કે 41 લોકો ખૂબ ગંભીર રીતે દાઝી ગયા છે. આધિકારિક નિવેદનો અનુસાર આ બિલ્ડિંગ 40 વર્ષ જૂની છે જેમા નીચે દુકાનો હતી અને ઉપર એપાર્ટમેંટ બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હવે આખી ઈમારતમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી જે લોકો ફસાયા હોય તેમનો જીવ બચાવવા બચાવી શકાય.